
Amreli Madrasa Demolition: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અમરેલીમાં ધારીના હિમખીમડી ગામની એક મદરેસામાંથી શંકાસ્પદ મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખની ધરપડ કરવામાં આવી હતી. મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળ્યા હતા.

ત્યારે આજે મૌલાનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને વહીવટી તંત્રએ જેસીબી વડે હિમખીડીની મદરેસા તોડી પાડી છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.
લોકોને ફાળવાયેલા પ્લોટ પર મદરેસા બનાવાઈ
મદરેસા અંગે ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ કહ્યું કે રેવન્યુ વિભાગને તપાસમાં મકાનનું ટાઇટલ ચેક કરતાં આ મકાન 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે શરતભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરાઈ છે, અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે.
મૌલવી મૂળ અમદાવાદના જુહાપુરાનો
મૌલાના પર પોલીસને શંકા જતાં તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં તારીખ 02 મેના રોજ SOGએ મૌલાનાને ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો બહાર આવ્યું હતુ. પોલીસે તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી 7 જેટલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં ગ્રુપ મળ્યાં હતાં.
આ પણ વાંચોઃ
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon
Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh
UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
