
Anand: ગઈકાલે આણંદ જીલ્લામાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી. જેથી તેમને ચાલુ કથાએ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે અને હોસ્પિટલમાંથ રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત રોજ(26 માર્ચે) આણંદ જીલ્લાના લાંભવેલ રોડ પર જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી હતી. તે દરમિયાન જીજ્ઞેશ દાદાને પરસેવો છૂટવા લાગ્યો હતો. ત્યારબાદ તબિયત અચાનક બગડી હતી. તેમને તુરંત સારવાર અર્થે ચાલુ કથાએ આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સારી અને સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ઉપવાસના લીધે નબળાઈથી સ્વાસ્થ્ય લથડ્યાની ચર્ચા
મળતી જાણકારી અનુસાર તેમને ઉપવાસના કારણે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. જો કે સારવાર બાદ તબિયત સારી થતાં આણંદના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે. આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે. જીજ્ઞેશ દાદાએ કહ્યું સ્વાસ્થ સારું છે કોઈ ચિંતા કરશો નહીં.
જીજ્ઞેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે, જેઓ મુખ્યત્વે ભાગવત પુરાણ, રામાયણ અને શિવ પુરાણ જેવી પૌરાણિક કથાઓનું વાચન છે. તેમની કથાઓ ભક્તિ, આધ્યાત્મિકતા અને જીવનના નૈતિક મૂલ્યો પર આધારિત હોય છે. જીજ્ઞેશ દાદાની કથાશૈલી ખૂબ જ પ્રભાવશાળી અને સરળ હોય છે, જે સામાન્ય લોકોને પણ જટિલ પૌરાણિક વિષયો સમજવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી
આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી
આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’
આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ