હીરા ઉદ્યોગ માટે અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો: અમિત ચાવડા

  • Gujarat
  • February 20, 2025
  • 0 Comments
  • હીરા ઉદ્યોગ માટે અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો: અમિત ચાવડા

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીના સાથી ધારાસભ્યઓ સાથે આજે વિધાનસભા પરિસરમાં રાજ્ય સરકારના બજેટ અગાઉ પ્રજાલક્ષી માંગના સુત્રો સાથે વિધાનસભામાં માંગણીઓ કરવામાં આવી હતી.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે બજેટ વિધાનસભા રજુ થવા જઈ રહ્યું છે, રાજ્યના નાણામંત્રીશ્રી આજનું બજેટ રજુ કરે એ પહેલા ગુજરાતની જનતાની જે આશા અને અપેક્ષા છે અને માંગણીઓ છે એને રજુ કરી રહ્યા છીએ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી કે હરિયાણા જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે અને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે.

અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન છે. ગુજરાતની મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરતી મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો મળે, ગુજરાતના યુવાનો રોજગાર ઝાંખી રહ્યા છે, કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઇ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ, સમાન વેતનથી કર્મચારીઓને સન્માન સાથેની નોકરીઓ આપવામાં આવે, ખાલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે, જે કર્મચારીઓને ઓ.પી.એસ.નો લાભ નથી મળ્યો એમને ઓ.પી.એસ.નો લાભ આપવામાં આવે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતુ કે, લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે, આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ગુજરાતમાં ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે.

અમિત ચાવડાએ માંગ કરી કે ખાસ કરીને ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા ગરીબ પરિવારોને પાકા મકાનો આપવામાં આવે, વૃદ્ધ, વિકલાંગ અને વિધવા બહેનોને માસિક રૂપિયા ૬૦૦૦ નું પેન્શન આપવામાં આવે, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી સમાજને એની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે અને ગુજરાતના વિવિધ વર્ગ-વિસ્તારના લોકોની જે માંગણીઓ છે એને આજે રજુ કરી રહ્યા છીએ અને વિધાનસભામાં ગુજરાતના સામાન્ય, ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે બજેટ ફળવાય નહી કે ઉદ્યોગપતિઓ-માલેતુજારો માટે એવી માંગણી કરીએ છીએ.

આ પણ વાંચો-Gujarat Budget 2025-26: યાત્રાધામોના વિકાસ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત, અંબાજી માટે 180 કરોડ, ડાકોર-પાવાગઢનો થશે વિકાસ

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!