
Arvind Kejriwal: દેશમાં આજે બનેલા સૌથી મોટા ઘટનાક્રમમાં દિલ્હીની રાઉંઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા હતા,દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની બહાર નિવેદન આપતી વખતે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. મનીષ સિસોદિયાએ તેમને સાંત્વના આપી તેઓએ કહ્યું મને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો કારણ કે ઈમાનદારીથી કામ કર્યું છે અને આખરે ન્યાય મળ્યો છે,આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે જણાવ્યું હતું કે પુરાવા વગર બંને સામેના આરોપો સાબિત થઈ શકતા નથી. સીબીઆઈએ આ કેસમાં કુલ 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે તેમાંથી કોઈપણ સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો, અને બધાને નિર્દોષ છોડી મૂક્યા હતા, કેજરીવાલે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા કરતા તેઓ રડવા લાગ્યા હતા તેમણે કહ્યું કે
છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ દારૂ કૌભાંડ.. દારૂ કૌભાંડ.. કરી રહ્યો છે અને અમારા પર આરોપો લગાવવામાં આવે છે. આજે કોર્ટે બધા આરોપો ફગાવી દીધા અને અમને બધાને મુક્ત કર્યા. અમે હંમેશા કહ્યું કે અમને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ન્યાયાધીશનો ખૂબ આભારી છું જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે. ભગવાન અમારી સાથે છે. મોદી અને અમિત શાહે સાથે મળીને સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યુ તેનું સત્ય આખરે બધાની સામે આવ્યું છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે તેઓએ કહ્યું કે જો કેજરીવાલ નિર્દોષ છે તો આ ‘ગોટાળો’ કોણે કર્યો ! આ અંગેનું વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.







