Bet Dwarka: દબાણો હટાવવાની કામગીરી દરમિયાન નીકળ્યું પ્રાચીન હનુમાનજીનું મંદિર, વાંચો વધુ

  • Gujarat
  • April 13, 2025
  • 0 Comments

Bet Dwarka: અત્યારે ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ડિમોલેશનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેમાં ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએથી દબાણને દૂર કરાઈ રહ્યા છે. આ વચ્ચે બેટ દ્વારકામાંથી એક હનુમાનજીનું 125 વર્ષ પુરાણું મંદિર મળી આવતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતુ. હનુમાનજીનું મંદિર મળી આવતાં પોલીસ તંત્ર દ્વારા તેનો જીણોધ્ધાર કરાયો છે.

બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન દબાયેલું એક હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનું તારણ છે. આ મંદિર નેપાળી શૈલીમાં બનેલું છે. મંદિર મળતાં તેનો જીણોધ્ધાર કરાયો હતો. ગઈકાલે હનુમાજનજી જયંતિ પર મંદિરમાં મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી છે. અંદાજો લગાવી રહ્યો છે કે ભૌગોલિક પરિસ્થિતિ અને અસમાજિક પ્રવૃતીઓ વધતાં મંદિરે જવાનું લોકોએ બંધ કરી દીધુ હશે. ત્યાર બાદ આ મંદિરની કોઈએ સારસંભાળ રાખી ન હતી. જો કે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન આ મંદિર મળતાં તેનો જીણોધ્ધાર કરાયો છે.

હનુમાજીની મૂર્તિની સ્થાપના કરતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી છે. ઉલ્લેખનીય છે ગુજરાતમાં ઘણીવાર ખોદકામ દરમિયાન પ્રાચીન વસ્તુઓ મળી આવતી હોય છે. મંદિરો જ નહીં પણ પ્રાચીન શૈલીની રહેણી કરણી અને પ્રાચીન નગરો પણ મળી આવતાં હોય છે.

આ પણ વાંચોઃ

પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad

Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ

Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

બંધારણ લખનારાને મૂર્ખ કહેનાર ISKON કથાકારને પોતાની “મુર્ખામી” પર પસ્તાવો

Related Posts

ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશ યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંડડાં તોડવાનું શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1 મે સુધી આ ડિમોલેશન કામગીરી ચાલુ રહેશે.…

Continue reading
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશ યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 0 views
ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશ યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 6 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 16 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 21 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 30 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?