
Bihar politics: NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સુપરત કર્યુ હતુ ત્યારબાદ તેમણે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને NDA ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો છે અને રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
હવે,શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમાં તેઓ ફરી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.NDA વિધાનસભા પક્ષની બેઠકમાં ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેશે.ભાજપ વિધાનસભા પક્ષે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.સમ્રાટ ચૌધરી ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા,સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરનું પદ ભાજપને જશે.
આજે બુધવારે તા.19 નવેમ્બરના ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને JDU વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં નીતિશ કુમારને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (20 નવેમ્બર) ના રોજ પટના ખાતેના ગાંધી મેદાનમાં યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતી હતી જેમાં 89 બેઠકો જીતી ભાજપ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો મેળવી હતી, જે સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે.
આ ઉપરાંત, ચિરાગ પાસવાનના LJP (R) એ 19 બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ અને RLM ચાર બેઠકો જીતી હતી.જયારે વિપક્ષ મહાગઠબંધનને ફક્ત 35 બેઠકો મળી હતી.આમ,બહુમત હાંસલ કર્યા બાદ હવે નીતિશ કુમાર ફરી એકવાર બિહારના CM બનવા જઈ રહયા છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા









