Bihar politics: નીતિશે CM પદેથી આપ્યું રાજીનામું,ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો,કાલે ફરી લેશે શપથ!

  • India
  • November 19, 2025
  • 0 Comments

Bihar politics: NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સુપરત કર્યુ હતુ ત્યારબાદ તેમણે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને NDA ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો છે અને રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

હવે,શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમાં તેઓ ફરી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.NDA વિધાનસભા પક્ષની બેઠકમાં ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેશે.ભાજપ વિધાનસભા પક્ષે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.સમ્રાટ ચૌધરી ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા,સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરનું પદ ભાજપને જશે.

આજે બુધવારે તા.19 નવેમ્બરના ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને JDU વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં નીતિશ કુમારને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (20 નવેમ્બર) ના રોજ પટના ખાતેના ગાંધી મેદાનમાં યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતી હતી જેમાં 89 બેઠકો જીતી ભાજપ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો મેળવી હતી, જે સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે.

આ ઉપરાંત, ચિરાગ પાસવાનના LJP (R) એ 19 બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ અને RLM ચાર બેઠકો જીતી હતી.જયારે વિપક્ષ મહાગઠબંધનને ફક્ત 35 બેઠકો મળી હતી.આમ,બહુમત હાંસલ કર્યા બાદ હવે નીતિશ કુમાર ફરી એકવાર બિહારના CM બનવા જઈ રહયા છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની
  • July 15, 2026

Ethanol Scam MP: હાલના સમયમાં દેશમાં પેટ્રોલ સાથે એથેનોલ ભેળવવાની (બ્લેન્ડિંગ) પ્રક્રિયા પર મોટી ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ ગ્રાહકો પોતાની ગાડીઓની માઈલેજ અને એન્જિનની સ્થિતિને લઈને ચિંતિત છે,…

Continue reading
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?
  • July 15, 2026

Taj Mahal Allahabad HC: તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં તાજમહેલને લઈને દાખલ કરવામાં આવેલી એક અરજીએ દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે તાજમહેલની તપાસ થવી જોઈએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

  • July 15, 2026
  • 2 views
Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

  • July 15, 2026
  • 3 views
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

  • July 15, 2026
  • 6 views
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

  • July 14, 2026
  • 7 views
Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

  • July 14, 2026
  • 9 views
Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર

  • July 14, 2026
  • 8 views
India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર