Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?

  • India
  • October 17, 2025
  • 0 Comments

Bihar politics: આજે ગુજરાત માટે ખુબ જ ખાસ દિવસ છે. લાંબા સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલતી હતી. ત્યારે આજે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. આજે ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ ગઈ છે. ત્યારે બીજી તરફ બિહારમાં પણ ચૂંટણી આવી રહી છે. ત્યારે આ બિટવીન ધ લાઇન્સના સુનીલ જોશીએ એક આર્ટીકલ લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાત ઠારવા જતાં કેવી રીતે બિહાર બગડ્યુ..અને ગુજરાત ઠારવા આવનાર અમિત શાહને અચાનક કેમ બિહાર દોડવું પડયુ હતું.

સુનીલ જોશીએ લખેલા આર્ટીકલમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપના ટોચના બે નેતાઓ નરેન્દ્રભાઇ મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં ગઇ કાલે 16મી ઓકટોબરે આખે આખા મંત્રીમંડળના રાજીનામા લઇ લેવાયા.એ સમયે મુખ્યમંત્રી ગુજરાતમા નહોતાં. રાજયપાલ પણ ગુજરાત બહાર હતાં. ગુજરાતમાં અચાનક એવો તે કયો રાજકિય ધરતીકંપ આવ્યો. અખબારોની હેડલાઇન ચમકવા માંડી. ટી.વી.માં ન્યુઝ ફલેશ ચમકવા માંડયા. ગુજરાતના રાજકારણમાં રાજકિય ભુકંપ. એક બાદ એક સમાચારો બ્રેક થતાં રહયા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તમામ પ્રધાનોને ગાંધીનગર બોલાવી તેમના રાજીનામાં લઇ લેવાયા.

બાદમાં અનઓફિશિયલી જાહેર થયુ હતુ કે શુક્રવારે બપોરે 11-30 મિનિટે નવા પ્રધાન મંડળની રચના થશે. ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામું ન હતું. તેથી તેમનું રાજીનામું હવે લેવાશે કે તેમને મુખ્યમંત્રી પદે ચાલુ રખાશે? છાતી ઠોકીને કોઇ ટીવી ચેનલ કે મિડિયા કે ભાજપની સ્થાપના પહેલાંના અખબારો કહી શક્યા ન હતા.ભાજપ હવે એ તસદી નથી લેતું કે ગુજરાતની પ્રજાની અપેક્ષા શું છે? વિશ્વના સૌથી મોટા રાજકિય સંગઠનની મહત્વની બાબતો અંગે લોકોને કન્સર્ન હોય છે. લોકશાહિમાં જયારે સરકારને લગતી કોઇ માહિતી હોય ત્યારે તેની માહિતી આપવાની સરકારની ફરજ હોય છે. રિયલ ટાઇલ માહિતીના અભાવે ઘણા અનર્થો અને અફવાઓને વિનાકારણ પવન મળે છે.

ગઇ કાલે પણ એવું જ થયુ. પ્રધાનમંડળની રચના સમયે કેન્દ્રના ટોચના નેતાઓ હાજર રહેશે. અમિતભાઇ શાહ,જે.પી.નડ્ડા,સુનીલ બંસલ સહિતના નેતાઓ રાત્રે જ ગુજરાત આવી જાય છે તેવા સમાચારો વહેતા રહયા. આ મીડનાઇટ ઓપરેશન જ શું કામ ? સરકારી કામ દિવસના ન થઇ શકે ? અચાનક મોડી રાત્રે એવા સમાચાર આવ્યા કે અમિત શાહ ગુજરાત નહિ આવે. બસ ચેનલો એટલાં જ સમાચાર આપી શકી. બ્રેકીંગમાં.આ સમાચારનું મુળ શોધવાની કોશિષ કરી ત્યારે ખબર પડી કે ગુજરાત ઠારવા આવનાર અમિત શાહને અચાનક બિહાર દોડવું પડયુ.

બિહારમાં નીતિશ કુમાર બગડયા છે. ભાજપ અને નીતિશ કુમારના પક્ષ જેડીયુ અને સાથી પક્ષોના જોડાણનું રાયતું થઇ જાય તેવી શકયતા છે. ભાજપના નેતાઓ બિહારમાં મહારાષ્ટ્રવાળી કરવા માંગે છે. જે રીતે સીંદેનો મુખ્યમંત્રી પદેથી કાંટો કાઢી નાંખ્યો એ રીતે ચુંટણી બાદ નીતિશકુમારનો કાંટો કાઢી નાંખવા માંગે છે. પણ નીતિશકુમારને આ બાબતની ભનક ભાજપના કેટલાંક અસંતુષ્ઠ નેતાઓએ આપી દીધી. આથી નીતિશકુમાર આગબબુલા થઇ ગયા. પરિસ્થિતિ કાબુ બહાર ચાલી જાય એવું લાગતાં અમિત શાહ ગુજરાતને પડતું મુકી બિહાર બાજુ દોડયા. આ કામ આમ તો ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાને કરવાનું હોય.પણ નડ્ડા સાહેબ તો નડ્ડા સાહેબ છે. એ હાઇકમાન્ડની સુચના મુજબ જ કર્મઠ રહે.

જે રીતે ભાજપના હાઇમાન્ડ સામે એક બાદ એક રાજયમાંથી પડકારો આવી રહયા છે એ જોતાં એકલાં અમિતભાઇ બધી જગ્યાએ કેમ પહોંચશે ? એ સવાલ થાય સુનીલ ભાઈએ સવાલ કર્યો કે,  જો કે અમિતશાહે તો આ ઉભા કરેલાં પડકારો છે. આમ આમ સુનીલ જોશીએ જ આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલુ રહેશે, તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 6 views
MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 15 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 17 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 30 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી