CM Nitish:આજે નીતિશ મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું,20મીએ નવા CM તરીકે લેશે શપથ!

  • India
  • November 19, 2025
  • 0 Comments

CM Nitish:મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે રાજીનામું આપશે,જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. JDU અને NDA વચ્ચેની બેઠકોમાં વિધાનસભાના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ તેમના ગઠબંધન ભાગીદારો સાથે રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

બિહારમાં નવી સરકાર તા.20 નવેમ્બરે શપથ ગ્રહણ કરવાની છે અને સૌથી અગત્યની વાત કે મુખ્યમંત્રી પદ અંગેનુ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયુ છે અને ફાયનલી નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

આજે બુધવારે બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળનાર છે,આજે તા.19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં આ બેઠક મળનાર છે.

જ્યારે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી આવાસ 1 અણે માર્ગ પર યોજાશે ત્યારબાદ NDA ધારાસભ્ય દળની બેઠક બપોરે બપોરે 3:30 વાગ્યે બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં યોજાનારી બેઠકમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કઢાશે.

ત્યારબાદ નીતિશ રાજભવન જઈને રાજ્યપાલને મળશે અને NDAના અન્ય તમામ પક્ષોના સમર્થન પત્રની સાથે પોતાનું રાજીનામું આપશે.બીજા દિવસે તા.20 નવેમ્બર 2025એ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે.

બીજી તરફ એવી વાતો પણ જાણવા મળી રહી છે કે ભાજપ અને જેડીયુ બંને સ્પીકરના પદ માટે મજબૂત દાવેદારી કરી રહ્યા છે, જેમાં ભાજપ આ પદ જાળવી રાખવા માગે છે.
નોંધનીય છે કે ગત વખતની વિધાનસભામાં ભાજપના નેતા નંદકિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકરનું પદ સંભાળ્યું હતું.

બિહારમાં સરકાર રચવા અંગે વિભાગોની ફાળવણીને લઈને મડાગાંઠ ઉભી થઈ હોવાની વાતો પણ ઉઠી છે જેમાં ભાજપ બિહારમાં પોતાનો ગૃહમંત્રી નિયુક્ત કરવા માંગે છે.જોકે,JDU ગૃહમંત્રી પદ છોડવા માટે તૈયાર નથી. નીતિશ કુમારે શરૂઆતથી જ આ વિભાગ પોતાની પાસે રાખ્યો છે.

આ મુદ્દાને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું કહેવાય છે.બાકી બીજી રીતે NDAમાં મંત્રીમંડળને લઈને લગભગ સહમતી સધાઈ ગઈ છે.જેમાં,JDUમાંથી 14, ભારતીય જનતા પાર્ટીમાંથી 15થી 16, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે.

નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમતી મળી છે. 243 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 89, જેડીયુને 85, LJP રામવિલાસને 19, HAMને 5, RLMને 4 બેઠકો પર જીત હાંસલ થઈ. આમ NDAએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત NDAએ 200નો આંકડો પાર કર્યો. અગાઉ 2010માં પણ NDAએ 206 બેઠકો મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ એક નાનો શપથ ગ્રહણ સમારોહ પણ ઇચ્છે છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા છે. સૂત્રો એમ પણ કહે છે કે ભાજપ બાકીના મંત્રીઓને પછીથી શપથ ગ્રહણ કરાવવા માંગે છે.ગઈકાલે મંગળવારે (18 નવેમ્બર) ના રોજ, નીતિશ કુમાર પોતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધી મેદાનની મુલાકાત લીધી હતી.આ 10મી વખત હશે જ્યારે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ
  • April 14, 2026

New Chief Minister of Bihar: બિહારના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ ઉપર મહોર વાગી ચૂકી છે સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા…

Continue reading
Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!
  • April 14, 2026

Big political changes in Bihar: બિહારના રાજકારણમાં આજે મોટા બદલાવ થઈ રહયા છે, નીતિશ કુમાર આજે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે, નીતીશ કુમારે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

  • April 15, 2026
  • 3 views
Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!

  • April 15, 2026
  • 7 views
Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!

Vadodara News: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના કાર્યકરોનો હલ્લાબોલ! ગાડીના કાચ તોડ્યા! જુઓ વિડીયો

  • April 15, 2026
  • 10 views
Vadodara News: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના કાર્યકરોનો હલ્લાબોલ! ગાડીના કાચ તોડ્યા! જુઓ વિડીયો

Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો

  • April 15, 2026
  • 6 views
Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો

Ahmedabad: અમદાવાદ શહેરનું પાંચ વર્ષનું સરવૈયુ! કૌભાંડની હારમાળા જોઈ ચોંકી જશો! ભાજપનું આ છે અસલી રિપોર્ટ કાર્ડ!

  • April 15, 2026
  • 13 views
Ahmedabad: અમદાવાદ શહેરનું પાંચ વર્ષનું સરવૈયુ! કૌભાંડની હારમાળા જોઈ ચોંકી જશો! ભાજપનું આ છે અસલી રિપોર્ટ કાર્ડ!

Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો

  • April 15, 2026
  • 15 views
Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો