
CM Nitish:મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે રાજીનામું આપશે,જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. JDU અને NDA વચ્ચેની બેઠકોમાં વિધાનસભાના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ તેમના ગઠબંધન ભાગીદારો સાથે રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
બિહારમાં નવી સરકાર તા.20 નવેમ્બરે શપથ ગ્રહણ કરવાની છે અને સૌથી અગત્યની વાત કે મુખ્યમંત્રી પદ અંગેનુ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયુ છે અને ફાયનલી નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
આજે બુધવારે બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળનાર છે,આજે તા.19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં આ બેઠક મળનાર છે.
જ્યારે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી આવાસ 1 અણે માર્ગ પર યોજાશે ત્યારબાદ NDA ધારાસભ્ય દળની બેઠક બપોરે બપોરે 3:30 વાગ્યે બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં યોજાનારી બેઠકમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કઢાશે.
ત્યારબાદ નીતિશ રાજભવન જઈને રાજ્યપાલને મળશે અને NDAના અન્ય તમામ પક્ષોના સમર્થન પત્રની સાથે પોતાનું રાજીનામું આપશે.બીજા દિવસે તા.20 નવેમ્બર 2025એ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે.
બીજી તરફ એવી વાતો પણ જાણવા મળી રહી છે કે ભાજપ અને જેડીયુ બંને સ્પીકરના પદ માટે મજબૂત દાવેદારી કરી રહ્યા છે, જેમાં ભાજપ આ પદ જાળવી રાખવા માગે છે.
નોંધનીય છે કે ગત વખતની વિધાનસભામાં ભાજપના નેતા નંદકિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકરનું પદ સંભાળ્યું હતું.
બિહારમાં સરકાર રચવા અંગે વિભાગોની ફાળવણીને લઈને મડાગાંઠ ઉભી થઈ હોવાની વાતો પણ ઉઠી છે જેમાં ભાજપ બિહારમાં પોતાનો ગૃહમંત્રી નિયુક્ત કરવા માંગે છે.જોકે,JDU ગૃહમંત્રી પદ છોડવા માટે તૈયાર નથી. નીતિશ કુમારે શરૂઆતથી જ આ વિભાગ પોતાની પાસે રાખ્યો છે.
આ મુદ્દાને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું કહેવાય છે.બાકી બીજી રીતે NDAમાં મંત્રીમંડળને લઈને લગભગ સહમતી સધાઈ ગઈ છે.જેમાં,JDUમાંથી 14, ભારતીય જનતા પાર્ટીમાંથી 15થી 16, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે.
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમતી મળી છે. 243 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 89, જેડીયુને 85, LJP રામવિલાસને 19, HAMને 5, RLMને 4 બેઠકો પર જીત હાંસલ થઈ. આમ NDAએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત NDAએ 200નો આંકડો પાર કર્યો. અગાઉ 2010માં પણ NDAએ 206 બેઠકો મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ એક નાનો શપથ ગ્રહણ સમારોહ પણ ઇચ્છે છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા છે. સૂત્રો એમ પણ કહે છે કે ભાજપ બાકીના મંત્રીઓને પછીથી શપથ ગ્રહણ કરાવવા માંગે છે.ગઈકાલે મંગળવારે (18 નવેમ્બર) ના રોજ, નીતિશ કુમાર પોતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધી મેદાનની મુલાકાત લીધી હતી.આ 10મી વખત હશે જ્યારે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






