
Gujarat News: કેબિનેટની બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ બોલ્યા હતા કે રોડ કામમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં નહિ આવે! શુ હવે જેની સામે આક્ષેપ થયા છે તેવા ભાજપના લાગતા વળગતા સામે પગલાં ભરશે ખરા?
રાજ્યમાં રોડના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર!
રાજ્યમાં ઠેરઠેર રોડ રસ્તાઓ તૂટી ગયા છે,વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે અનેક અકસ્માત સાથે વાહનોના ખર્ચ પણ વધ્યા છે ત્યારે કરોડોના ખર્ચે બનેલા તકલાદી રોડ તૂટી જવાના કારણે મોટાપાયે ગેરરીતિ થતી હોવાની લોકોમાં બૂમ ઉઠવા પામી છે અને રોષ જોવા મળી રહ્યો છે છતાં કરોડોના ભ્રષ્ટાચાર કરનારા બિન્દાસ્ત છે જોકે,આ પ્રકારની ઉઠેલી ફરિયાદો બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમા તૂટેલા રસ્તાઓનો મુદ્દો ચર્ચાયો હતો. મુખ્યમંત્રીએ તૂટેલા રોડ અને રસ્તા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી હતી,રાજ્યમાં એક વર્ષ પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતાં લોકોમાં સોશ્યલ મીડિયા ઉપર કોમેન્ટનો મારો શરૂ થયો છે આવા સમયે જ રોડમાં મોટા પાયે ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે.
રૂ. 3.71 કરોડના ખર્ચે બનેલો સ્ટેટ હાઇવે માત્ર 2 મહિનામાં જ તૂટી ગયો!
ગીર ગઢડા તાલુકામાં મોટી મોલીથી ટીંબી ગામ સુધીના નવા બનેલા સ્ટેટ હાઇવેના નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે જેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ખખડધજ રોડની સ્થળ મુલાકાત લઈ વિડીયો સાથે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. ચોંકાવનારી વાતતો એ છે કે આ સ્ટેટ હાઇવે માત્ર બે મહિના પહેલા જ રૂ. 3.71 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને બે મહિનામાં જ આ રોડ ખખડધજ થઈ ગયો છે અને રોડ ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે પરિણામે રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
આ અંગે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે તેઓએ રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાની વાત કરી રોડ નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરી છે, સાથે જ બિસ્માર રોડનો વીડિયો બનાવી માર્ગ અને મકાન વિભાગ, ભાજપના પદાધિકારીઓ અને રોડનું કામ કરનાર એજંસી સામે ગંભીર સવાલો ઉઠાવી કામ કરનાર એજંસી અને ભાજપના પદાધિકારીઓની મિલિભગતથી ગેરરીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે બીજી તરફ તાજેતરમાં જ રાજ્યમાં તૂટેલા રોડ-રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે ગુણવત્તા વગરના રોડ-રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તૂટેલા તમામ રોડ-રસ્તાનો સર્વે કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. સાથે સાથે એક જ વર્ષમાં બનીને તૂટેલા રોડની ઓળખ કરવા પણ તેમણે સૂચના આપી હતી. ગુણવત્તાના અભાવે તૂટેલા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આ કિસ્સામાં શુ પગલાં ભરાય છે તેતો સમયજ કહેશે!!
આ પણ વાંચો:
Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?
‘આ વખતે છોડીશું નહીં,નકશા પરથી મિટાવી દઈશું!’ભારતીય આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!









