Cough syrup case:  ભારતે WHOને જવાબ આપ્યો-“ઝેરી કફ સિરપ કાંડ”માં તપાસ ચાલુ છે!

  • India
  • October 11, 2025
  • 0 Comments

Cough syrup case:  ભારતમાં ઝેરી કફ પીવાથી 25 બાળકોના મોત થવાની ઘટનાથી વિશ્વભરમાં તેના પડઘા પડ્યા છે અને WHOએ આ મામલે ભારત સરકાર પાસે જવાબ માંગતા હવે વિશ્વમાં દેશની દવા ઉપરની પ્રતિષ્ઠા ખરડાતા સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સિરપ ઉત્પાદકોની યાદી માંગી તપાસ શરૂ કરી છે જેમાં ગુણવત્તા અને સલામતી ચકાસવાનું શરૂ કરી તેનો રિપોર્ટ CDSCOદ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને આપી જાણ કરી કે ત્રણ સીરપ,કોલ્ડ્રિફ, રેસ્પિફ્રેશ-ટીઆર અને રિલાઇફના ઉત્પાદન અને વેચાણ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ તમામ રાજ્યોને કાચા માલ અને તૈયાર દવાઓનું ઉત્પાદન કરતા પહેલા તેનું પરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દરેક બેચનું યોગ્ય રીતે પરીક્ષણ કરતી નથી, જેના પરિણામે ગુણવત્તા નબળી પડે છે.

લેબ પરીક્ષણોમાં એ પણ ચોંકાવનારી વાત સામે આવી છે કે સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવાં ઝેરી કેમિકલની હાજરી નિર્ધારિત ધોરણ કરતાં 486 ગણી વધુ હતી,આ માત્રા માત્ર બાળક માટે ઘાતક નથી, પણ એ હાથી જેવા મોટા પ્રાણીની કિડની અને મગજને પણ ખતમ કરી શકે તેટલી વધુ હોવાની વાતો સપાટી ઉપર આવતા ભારે સનસનાટી મચી છે.

તપાસ અહેવાલ મુજબ,શ્રીસન ફાર્મા કંપનીએ 25 માર્ચ, 2025ના રોજ ચેન્નઈમાં સનરાઇઝ બાયોટેક પાસેથી પ્રોપિલિન ગ્લાયકોલ ખરીદ્યું હતું, જોકે એ નોન-ફાર્માસ્યુટિકલ ગ્રેડનું હતું, એટલે કે એ દવાના ઉત્પાદન માટે યોગ્ય નહોતું. આમ છતાં કંપનીએ ન તો એની શુદ્ધતા ચકાસી કે ન તો એમાં ડાયએથિલિન ગ્લાયકોલ અથવા એથિલિન ગ્લાયકોલની માત્રાનું પરીક્ષણ કર્યું અને બાળકોના જીવ ગયા છે.ચેન્નઈમાં ચેન્નઈ-બેંગલુરુ હાઇવે પર રંગનાથનનું 2,000 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું હતું,

ગુજરાતમાં પણ બે કંપનીઓમાં ઝેરી કફ સિરપ પકડાતા હાલ કંપની સીલ કરી બજારમાં ગયેલો બધો સ્ટોક પરત ખેંચાઈ રહ્યો છે.

હવે, કફ સિરપ કાંડ મામલે સરકાર શુ કડક પગલાં ભરશે તેતો સમય જ બતાવશે કારણ કે નોટિસો અને સામાન્ય કાર્યવાહીમાં કાનૂની છીંડા શોધી જવાબદારો છૂટી જાય છે અને થોડા જ સમયમાં ફરી મોતના તાંડવનો ખેલ શરૂ થાય છે અગાઉ આફ્રિકા સહિતના દેશોમાં પણ ભારતીય કફ સિરપ પીવાથી અનેક બાળકોના મોત થયા હતા અને જુદા જુદા કિસ્સામાં તેનો કુલ મૃત્યુ આંક 300 જેટલો થયો હોવાછતાં સરકારે તેને ગંભીરતાથી નહિ લેતા ફરી ઝેરી સિપકાંડ સર્જાયું છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ખુલાસો માંગ્યો છે ત્યારે હવે સરકાર તપાસના ઉધામા મારી પ્રતિબંધ સહિતની કાર્યવાહી ચાલુ હોવાનો રિપોર્ટ આપી દીધો છે.

આ પણ વાંચો:

UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ

UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ

Trump Tariffs News: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની કરી જાહેરાત! ચીને રેર અર્થની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ટ્રમ્પ બગડ્યા!

PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 6 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 14 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર