દિલ્હીમાં ભાજપ સરકાર આવતાં જ CAG રિપોર્ટ રજૂ, હોબાળો કરતાં AAPના ધારાસભ્યો સસ્પેન્ડ, CAG શું છે કે હોબાળો થઈ ગયો?

  • India
  • February 25, 2025
  • 0 Comments

Delhi CAG Report: દિલ્હીમાં ઘણા વર્ષો સુધી રાજ કરનારી AAP પાર્ટી હવે વિપક્ષમાં બેઠી છે. ત્યારે આજે વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન દરમિયાન સતત હોબાળો મચાવવા બદલ વિપક્ષના નેતા આતિશી સહિત AAPના તમામ 9 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વિપક્ષી AAP પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. જેથી આખા દિવસ માટે વિધાનસભામાંથી AAPના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.

આંબેડકરના ફોટાના બદલે પીએમ મોદીનો ફોટો

AAP ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યું, “ગઈકાલે, મુખ્યમંત્રી કાર્યાલયમાં ડૉ. બીઆર આંબેડકરના ફોટાના બદલે પીએમ મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હતો. જ્યારે અમે સ્પીકરને પૂછ્યું કે શું પીએમ મોદી ડૉ. બીઆર આંબેડકર કરતા મોટા છે, જેથી તેમણે અમને સસ્પેન્ડ કરી દીધા.”

ઉલ્લેખનીય છે કે ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે AAP સરકારે CAG રિપોર્ટને અટકાવી રાખ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગયા ગુરુવારે જાહેરાત કરી હતી કે નવી સરકારના પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અને તે આજે રજૂ કરાયો છે. CAGના પેન્ડિંગ રિપોર્ટમાં રાજ્યના નાણાકીય, જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ, વાહનો દ્વારા થતા વાયુ પ્રદૂષણ, દારૂ નિયમન અને દિલ્હી પરિવહન નિગમ (DTC) ની કામગીરીની સમીક્ષાનો સમાવેશ થાય છે.

CAG રિપોર્ટ શું છે?

કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના 14 પેન્ડિંગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આ અહેવાલો પાછલી આમ આદમી પાર્ટી (AAP) સરકાર (2017-2022) ના કાર્યકાળ સાથે સંબંધિત છે અને નવી ભાજપ (BJP) સરકાર દ્વારા તેને ગૃહમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 14 રિપોર્ટ્સમાં દિલ્હી સરકારના વિવિધ વિભાગો અને નીતિઓની નાણાકીય અને કામગીરીની ચકાસણીનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી ચાર અહેવાલો દિલ્હી સરકારના એકાઉન્ટ કંટ્રોલર દ્વારા 2021-22 અને 2022-23 ના વર્ષ માટે તૈયાર કરાયેલા નાણાકીય અને વિનિયોગ ખાતાઓ છે. બાકીના 10 અહેવાલો CAG દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે વિવિધ ક્ષેત્રોનું ઓડિટ કરે છે. રિપોર્ટમાં કયા મુદ્દાઓ છે. તે નીચે વાંચો.

  • રાજ્ય નાણાકીય ઓડિટ રિપોર્ટ: દિલ્હી સરકારની આવક, ખર્ચ અને આવકની સ્થિતિની તપાસ કરતો અહેવાલ.
  • વાહન પ્રદૂષણ ઓડિટ રિપોર્ટ: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાના પગલાં પર થયેલા ખર્ચનો અહેવાલ.
  • દારૂ નીતિ અને પુરવઠા પર ઓડિટ: રદ કરાયેલી દારૂ નીતિથી રૂ. 2,026 કરોડના મહેસૂલ નુકસાનનો દાવો.
  • લાઇસન્સ આપવામાં અનિયમિતતાઓ અને કેટલાક લોકોને કથિત રીતે ફાયદો પહોંચાડવાના આરોપો અંગે અહેવાલો સપાટી પર આવશે.
  • શીશ મહેલ (મુખ્યમંત્રી નિવાસસ્થાનનું નવીનીકરણ): પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના નવીનીકરણ પાછળ 33.66 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જે મૂળ બજેટ (7.61 કરોડ) કરતા 342% વધુ હતું. આ અહેવાલમાં વધુ પડતા બજેટ ખર્ચ અને પારદર્શિતાના અભાવ અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે.
  • જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ અને સેવાઓ: મોહલ્લા ક્લિનિક્સ અને અન્ય આરોગ્ય યોજનાઓમાં ભંડોળના ઉપયોગ અને ખર્ચ અંગેના ઓડિટ અહેવાલો પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતા.
  • દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની કામગીરી: DTCના નાણાકીય નુકસાન (અગાઉ રૂ. 29,143 કરોડ સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો) અને મેનેજમેન્ટમાં ખામીઓની સમીક્ષા બસ ખરીદી અને સંચાલન કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા કરી શકે છે.
  • નાણાકીય અને વિનિયોગ ખાતાઓ: દિલ્હી સરકારના એકાઉન્ટ્સ નિયંત્રક દ્વારા તૈયાર કરાયેલ, આમાં બજેટ ઉપયોગની કાયદેસરતા અને ચોકસાઈની તપાસ કરતા અહેવાલો પણ શામેલ છે.
  • શિક્ષણ વિભાગનો ઓડિટ અહેવાલ: આમાં શાળાના માળખાગત સુવિધાઓ, શિક્ષકોની ભરતી અને શિક્ષણ યોજનાઓમાં બજેટ ઉપયોગની સમીક્ષા કરતા અહેવાલો પણ શામેલ છે.
  • સામાજિક ક્ષેત્રની યોજનાઓ: મફત વીજળી, પાણી સબસિડી અને અન્ય કલ્યાણકારી યોજનાઓની અસરકારકતા અને નાણાકીય વ્યવસ્થાપન અંગેના અહેવાલો પણ શામેલ છે.
  • આર્થિક ક્ષેત્રના પ્રોજેક્ટ્સ: માળખાગત પ્રોજેક્ટ્સ (જેમ કે રસ્તાઓ, પુલો) ના ખર્ચ અને અમલીકરણ અંગેના અહેવાલો પણ શામેલ છે.
  • જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ઓડિટ: દિલ્હી સરકારની માલિકીની કંપનીઓ અથવા સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અને કામગીરી અંગેના અહેવાલો પણ બહાર આવ્યા છે.
  • સામાન્ય ક્ષેત્ર ઓડિટ: વહીવટી ખર્ચ અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓની સમીક્ષા કરતા અહેવાલો પણ તૈયાર કરવામાં આવે છે.
  • પર્યાવરણીય અને અન્ય કામગીરી ઓડિટ: અહેવાલો પ્રદૂષણ સિવાયના ક્ષેત્રો (જેમ કે કચરો વ્યવસ્થાપન) માં સરકારી નીતિઓ કેવી રીતે કાર્ય કરે છે તેની તપાસ કરે છે.

AAP જે રિપોર્ટ અંગે હોબાળો મચાવે છે તે રિપોર્ટનું શું છે મહત્વ?

CAG રિપોર્ટ બંધારણીય રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તે જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. આને વિધાનસભામાં રજૂ કરવા ફરજિયાત છે જેથી તેની ચર્ચા થઈ શકે. દિલ્હીમાં આ અહેવાલોની રજૂઆતથી AAP પર દબાણ વધી શકે છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી પહેલાથી જ દારૂ નીતિ અને શીશ મહેલ જેવા મુદ્દાઓ પર ભાજપ તરફથી દબાણ હેઠળ છે. ભાજપના નેતાઓનો દાવો છે કે આ અહેવાલો “આપના ભ્રષ્ટાચારના કાળા પુસ્તક”નો પર્દાફાશ કરશે. તે જ સમયે, AAP કહે છે કે આ એક રાજકીય હુમલો છે અને અહેવાલો પહેલાથી જ કેન્દ્ર પાસે હતા.

CAG ની નિમણૂક કેવી રીતે થાય?

CAG( Comptroller and Auditor General of India) ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તેઓ છ વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર (જે વહેલું હોય તે) પૂર્ણ કરે ત્યાં સુધી પદ પર રહે છે. તેમને દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવી જ છે, જેમાં સંસદના બંને ગૃહો દ્વારા ખાસ બહુમતી સાથે ઠરાવ પસાર કરવો જરૂરી છે. આ વ્યવસ્થા CAG ની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે, જેથી તે કોઈપણ દબાણ વિના સરકારની નાણાકીય પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે. હાલમાં CAGનું પદ સંજય મૂર્તિ પાસે છે, જેમણે 21 નવેમ્બર 2024 ના રોજ આ જવાબદારી સંભાળી હતી.

CAG ના મુખ્ય કાર્યો શું છે?

CAGનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી ભંડોળનો ઉપયોગ પારદર્શક અને કાયદેસર રીતે થાય. આ લોકશાહીમાં જવાબદારી માટે મજબૂત આધાર પૂરો પાડે છે. તે કારોબારી તંત્રને વિધાનસભા પ્રત્યે જવાબદાર બનાવે છે.

 

 

આ પણ વાંચોઃ GUJARAT: 3 CCTV હેકરોના રિમાન્ડ મંજૂર, 1 શખ્સ હજુ પણ ફરાર, હજારો કેમેરા શખ્સોએ કેવી રીતે હેક કર્યા?

આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

આ પણ વાંચોઃ Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકાતા સહિત અનેક શહેરો ધણધણ્યા

 

 

Related Posts

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
  • August 3, 2026

CVoter Snap Poll: દેશમાં પેપર લીક વિવાદ અને તેના પગલે થયેલા વિદ્યાર્થી આંદોલનો વચ્ચે જાહેર થયેલા CVoterના તાજા સ્નેપ પોલમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. સર્વે મુજબ,…

Continue reading
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 8 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 10 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 11 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી