Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • India
  • November 11, 2025
  • 0 Comments

Delhi Blast: ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા કરાયેલા દરોડા બાદ ડૉ. પરવેઝ અંસારીનું સહારનપુર સાથેનું કનેક્શન બહાર આવ્યું છે. પરવેઝ અંસારીના ઘરેથી મળી આવેલી કાર સહારનપુર RTOમાં નોંધાયેલી છે. આ એક મહત્વની કડી મળી છે કારણ કે ફરીદાબાદ મોડ્યુલમાં ધરપકડ કરાયેલા અન્ય ડૉક્ટર, ડૉ. આદિલ પણ સહારનપુરના રહેવાસી છે.

પરવેઝ અન્સારીની કાર (UP11BD3563) પર ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનો કાર પાસ હોવાનું જાણવા મળ્યું હતું. ATS તપાસ કરી રહી છે કે શું પરવેઝ અને અગાઉ ધરપકડ કરાયેલા ડૉ. આદિલ વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં. તપાસમાં જાણવા મળ્યું છે કે ફરીદાબાદ મોડ્યુલમાં ધરપકડ કરાયેલા ડૉ. આદિલ પણ સહારનપુર સાથે જોડાયેલા છે . સમાન કેસોમાં એકજિલ્લાના બે ડૉક્ટરોનો બહાર આવવોતપાસ એજન્સીઓ માટે ગંભીર બાબત છે.

જપ્ત કરાયેલી કારનું રજીસ્ટ્રેશન

ડૉ. પરવેઝ અન્સારીના ઘરેથી મળી આવેલી કાર સહારનપુર આરટીઓમાં નોંધાયેલી હતી. કાર પરના ઇન્ટિગ્રલ યુનિવર્સિટી પાસની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બધી કડીઓ આતંકવાદી મોડ્યુલના ઊંડા અને સ્થાનિક નેટવર્ક તરફ ઈશારો કરે છે. વધુમાં, મડિયાણવમાં દરોડા બાદ, યુપી એટીએસ, સ્થાનિક પોલીસ સાથે મળીને હવે લાલબાગમાં દરોડા પાડી શકે છે.

દિલ્હીમાં કાર બ્લાસ્ટ

સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક શક્તિશાળી કારમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની અસર સેંકડો મીટર દૂર સુધી અનુભવાઈ. અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટથી દિલ્હી હચમચી ગયું અને રાષ્ટ્રીય સ્તરે ભયનો માહોલ ફેલાયો. પોલીસ કાશ્મીરથી ઉત્તર પ્રદેશ સુધી દરોડા પાડી રહી છે. તપાસકર્તાઓને ફરીદાબાદ પણ મોકલવામાં આવ્યા છે.

ગુનેગારોને છોડીશું નહીં.’

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના પ્રતિભાવમાં મંગળવારે નરેન્દ્ર મોદીએ  ચેતવણી આપી હતી. ભૂટાનના થિમ્પુમાં બોલતા તેમણે કહ્યું, “આ પાછળ જે કોઈ પણ કાવતરું ઘડશે તેને બક્ષવામાં આવશે નહીં. જવાબદારોને સજા કરવામાં આવશે.” જો કે ઘણા લોકો બિહારમાં બીજા તબ્બકાના મતદાન પહેલા જ આ વિસ્ફોટ થયો છે. જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. વિપક્ષ કહે છે પુલામામાં થયેલા RDX બ્લાસ્ટ અંગે હજુ સુધી સરકારે જવાબ આપ્યો નથી. 

પુલવામામાં 350 કિલોગ્રામ RDXનો હજુ સુધી કોઈ જવાબ નથી’

કોંગ્રેસના નેતા પવન ખેડાએ દિલ્હી વિસ્ફોટ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે આ ઘટના અધિકારીઓની “સંપૂર્ણ નિષ્ફળતા” દર્શાવે છે. તેમણે કહ્યું કે આઘાતજનક વાત છે કે છ વર્ષ પછી પણ, 350 કિલો RDX પુલવામા કેવી રીતે પહોંચ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પવન ખેરાએ કહ્યું, “આ ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક છે કે અમને હજુ પણ ખબર નથી કે 350 કિલો RDX પુલવામા કેવી રીતે પહોંચ્યું. છ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિકે આ અંગે ઘણી વખત પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. હવે, NCR માંથી આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો અને બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.”

આ પણ વાંચો:

Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

Delhi Blast: લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ, એકનો જીવ ગયો, અફરાતફરીનો માહોલ

 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 1 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 4 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 10 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 8 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 6 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’