
Dhirendra Shastri: બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘સનાતન હિંદુ એકતા પદયાત્રા’ દરમિયાન આપેલું એક હળવું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈને વિવાદાસ્પદ બન્યું છે. શાસ્ત્રીજી, જેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની મહત્વાકાંક્ષા અને ધાર્મિક જ્ઞાનના પ્રચાર માટે જાણીતા છે, તેમણે પદયાત્રા દરમિયાન કહ્યું, “કેટલાક પદયાત્રીઓ એટલા હોશિયાર છે કે મને પાછળ છોડીને આગળ જઈને સમોસા, ચાટ અને પકોડી બધું ચટ કરી જાય છે.” આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયકલ થઈ રહ્યો છે. જેમાં તેમણા આવા શબ્દોનો ઉપયોગ કરવો તે તેમના ધાર્મિક ઇમેજ સાથે વિરોધાભાસી લાગે છે.
દિલ્હીથી વૃંદાવન સુધીની આ પદયાત્રા, જે 7 નવેમ્બરથી શરૂ થઈ છે, હિંદુ એકતા અને રાષ્ટ્રીયતાના સંદેશ આપે છે. પરંતુ આ નિવેદનથી સોશિયલ મીડિયા પર બે વિભાગોમાં વિભાજન થયું છે. એક તરફ ભક્તો તેને શાસ્ત્રીજીની સરળતા અને હળવાશ તરીકે જુએ છે, જ્યારે બીજી તરફ ટીકાકારો પૂછે છે કે, જે વ્યક્તિ લોકોને ધાર્મિક જ્ઞાન અને આધ્યાત્મિકતા શીખવે છે, તેમના જીવનમાં ‘સમોસા-પકોડી’ ની લાલચ રાખે છે.
धीरेंद्र शास्त्री परेशान हैं कि पदयात्रा में उनके साथ चलने वाले पहले ही आगे जाकर सारा चाट-पकौड़ी और समोसा खा जाते हैं।खाने पीने का मोह है तो क्या बाबा बनेगा रे तू😄😄😄😄😄 pic.twitter.com/ACBzVBrWxw
— Bhupendra Kumar Guddu (@guddu_2020) November 11, 2025
એક ટ્વિટર યુઝરે લખ્યું, “હિંદુ રાષ્ટ્રની વાત કરતા-કરતા સમોસા પર આવી જાઓ, આ તો વિરોધાભાસ છે!” આ ટીકાઓથી શાસ્ત્રીજીના ભાષણો પર પ્રશ્નો ઉભા થયા છે.પદયાત્રામાં હજારો ભક્તો જોડાયા છે, પરંતુ આ વાયરલ ક્લિપે તેને ‘ચાટ-પકોડી પદયાત્રા’નું નામ આપી દીધું છે. ટ્રોલર્સ તેને મજાકમાં ટીકા કરી રહ્યા છે, જ્યારે સમર્થકો કહે છે કે આમાંથી તેમની માનવીય પાસું જણાય છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






