
Delhi Murder Case: દિલ્હી પોલીસે 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપી નૌશાદની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા નૌશાદને પગમાં ગોળી મારી પકડી લેવામાં આવ્યો હતો.
બળાત્કાર અને હત્યાની આ ઘટના 7 જૂનના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીના નહેરુ વિહારના દયાલપુરમાં બની હતી, જેના પછી ત્યાંના લોકો ગુસ્સે ભરાયા હતા. આ બાળકીનો મૃતદેહ પડોશના એક બંધ ફ્લેટમાં સુટકેશમાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. પ્રાથમિક તબીબી તપાસમાં બળાત્કાર અને હત્યાની પુષ્ટિ થઈ હતી. પડોશમાં રહેતો નૌશાદ ઘટના પછીથી ફરાર હતો.
હાપુડથી ધરપકડ, દિલ્હીમાં એન્કાઉન્ટર
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસારનૌશાદની હાપુડથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને દિલ્હી લાવતી વખતે ઝીલ પાર્ક પાસે શૌચાલય જવાનું બહાનું બનાવ્યું અને તક મળતાં જ એક પોલીસ કર્મચારી પર બ્લેડથી હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. જેમાં એક કોસ્ટેબલ ઈજાગ્રસ્ત થયો. જેથી પોલીસે હવામાં ગોળીબાર કરી રોકાવા કહ્યું પણ ન માનતાં પગમાં ગોળી મારીને ઝડપી લીધો.
આરોપી અને ઘાયલ કોન્સ્ટેબલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વેલકમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ખતરનાક ગુનેગારને પકડવા માટે ઘણી ટીમોએ CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને દિવસ-રાત કામ કર્યું હતું. તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103 (1), 66, 13 (2) અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
ઘટના બાદ સગીર છોકરીના પરિવાર અને સ્થાનિક લોકોમાં ગુસ્સો ફેલાયો હતો અને પરિવારે નૌશાદની ધરપકડની માંગણી સાથે રસ્તા પર ધરણા કર્યા હતા.
નૌશાદ છોકરીને લલચાવીને લઈ ગયો હતો
આ ઘટના દિલ્હીમાં સગીરોની સલામતી પર સવાલ ઉભા કરે છે. નૌશાદ પડોશમાં રહેતો હતો અને છોકરીને લલચાવીને લઈ ગયો હતો. પોલીસે ખાતરી આપી હતી કે કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને કડક સજા આપવામાં આવશે. આ ધરપકડથી પીડિતાના પરિવારને રાહત તો મળશે જ, પરંતુ ગુનેગારો માટે એક મજબૂત સંદેશ પણ છે.
સવાલ એ પણ થાય છે કે શખ્સ બ્લેડ લાવ્યો કેવી રીતે? શું પહેલેથી જ હુમલાની યોજના બનાવી હતી? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!
Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?
Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…
Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા
દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ