Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ

  • India
  • August 17, 2025
  • 0 Comments

Delhi: મોદી સરકાર સતત લોકોને હેરાન-પરેશાન કરી રહી હોવાના હાલ સર્જાયા છે. આજે રવિવારે દિલ્હીના રોહિણીમાં UER-2નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ માટે ઉદ્ઘાટન સ્થળ પર મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા ઘણા કર્મચારીઓને નોકરીથી કાઢી મૂકવાની ધમકી મોદીની રેલીમાં લઈ જવાયાના આરોપ લાગ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. એક વીડિયો શેર કરીને તેમણે આરોપ લગાવ્યો છે કે મોદીની રેલીમાં ભેગી થયેલી ભીડ નકલી છે. દિલ્હીના સફાઈ કર્મચારીઓને તેમાં ભાગ લેવા માટે ડરાવવામાં આવ્યા છે. નોકરી ગુમાવવાના ડરથી તેમને બસોમાં બળજબરીથી ભરીને રેલી સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે.

આ વિવાદ આમ આદમી પાર્ટી (AAP) ના સત્તાવાર x હેન્ડલ પર મૂકવામાં આવેલી એક પોસ્ટથી શરૂ થયો હતો. તે પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં બસમાં મુસાફરી કરતા લોકો સાથે વાત કરવામાં આવી રહી છે. બસમાં મુસાફરી કરતા બધા લોકો પોતાને દિલ્હીના સફાઈ કર્મચારી ગણાવી રહ્યા છે. તેઓ એક મહિલાને કહી રહ્યા છે કે તેમને ડરાવીને રેલીમાં હાજરી આપવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. એકે તો કહ્યું કે તેની પત્ની ગર્ભવતી છે. તેને પ્રસુતી થવાની હોવાથી દવાખાને જવાનું હતુ. જોકે તેમ છતાં તેમણે રેલીમાં આવવું પડ્યુ.

આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ લખ્યું છે કે, ‘ભાજપ સફાઈ કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપીને મોદીની રેલીમાં લઈ જઈ રહ્યું છે!!’ સાથે જ લખ્યું ભાજપ સરકાર દલતિ સફાઈ કર્મચારીઓ પાસે કામ નહીં રાજકારણ કરાવી રહી છે. કામ પર બોલાવી રેલીમાં મોકલવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે આ UER-2 દિલ્હી-NCR ના અંતર ઘટાડવામાં મદદ કરશે. તે NH-44, NH-9 અને NH-48 જેવા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડશે. આ ઉપરાંત, તે સોનીપત અને બહાદુરગઢના ઔદ્યોગિક વિસ્તારોને લિંક રોડથી જોડશે, જેનાથી ઉદ્યોગો અને માલસામાનની અવરજવરમાં લાગતો સમય ઓછો થશે. જો કે આવા ઉદ્ઘાટનોમાં લોકોને બળજબરીથી લઈ જવા એ અયોગ્ય છે.

આ પણ વાંચો:

Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?

Voter Adhikar Yatra:રાહુલ-મોદીના કાર્યક્રમોમાં જોઈલો અસમાનતા, તંત્રએ બુલેટ બાઇકની લાઇટ્સથી હેલિપેડ કેમ બનાવવું પડ્યું?

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

Related Posts

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
  • October 27, 2025

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

Continue reading
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 3 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 15 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 20 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા