
Emergency in Delhi:દિલ્હીમાં હવે ગંભીર પ્રદૂષણ અને PM2.5 અને PM10 ના ખતરનાક સ્તરને કારણે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ના નિર્દેશો હેઠળ, તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં ફક્ત 50% કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે બાકીના 50% કર્મચારીઓને ફરજીયાત ઘરેથી કામ કરવા જણાવવામાં આવ્યું છે.
ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના સ્ટેજ III હેઠળ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને નિષ્ણાતોની સલાહ લીધા પછી, CAQM એ GRAP સમયપત્રકમાં સુધારો કર્યો છે. આ સુધારાઓમાં GNCTD અને NCR રાજ્ય સરકારોને જાહેર, મ્યુનિસિપલ અને ખાનગી કચેરીઓને ૫૦% સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે આ પગલાં જરૂરી હોવાનું જણાવાયું છે.
પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ ની કલમ ૫ હેઠળ જારી કરાયેલા આ નિર્દેશોનું પાલન GNCTD ની તમામ સરકારી કચેરીઓ અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં કાર્યરત તમામ ખાનગી કચેરીઓ દ્વારા તાત્કાલિક અસરથી કરવું પડશે.સરકારી કચેરીઓમાં તમામ વહીવટી સચિવો અને વિભાગના વડાઓ તેમના ૫૦% થી વધુ સ્ટાફને ઓફિસમાં બોલાવી શકશે નહીં અને બાકીના ૫૦% ઘરેથી કામ કરશે,ખાનગી કચેરીઓએ પણ આ નિયમનું પાલન કરવું પડશે.
આમ,દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ બદતર બની જતા કઈક અંશે પ્રદુષણ ઓછું કરવા પ્રયાસો હાથ ધરાઈ રહયા છે.
■આવશ્યક સેવાઓમાંથી મુક્તિ
આ આદેશમાં હોસ્પિટલો અને અન્ય જાહેર/ખાનગી આરોગ્ય સુવિધાઓ, અગ્નિશામક સેવાઓ, જેલ, જાહેર પરિવહન, વીજળી, પાણી, સ્વચ્છતા અને સંબંધિત મ્યુનિસિપલ સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને પ્રદૂષણ નિયંત્રણમાં રોકાયેલા વિભાગો/એજન્સી સહિત આવશ્યક સેવાઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તમામ વિભાગના વડાઓ અને જિલ્લા અધિકારીઓને નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સૂચનાઓનું ઉલ્લંઘન કરવા પર પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 ની કલમ 15 અને 16 હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
■આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ GRAP નિયમોમાં સુધારો કર્યો છે અને હવે સ્ટેજ IV માં અગાઉ લાગુ પડતા નિયંત્રણો સ્ટેજ III માં લાગુ કરે છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી અને નિષ્ણાતોની સલાહ બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે








