
Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટને ગઈકાલે(21 મે) ખરાબ હવામાન વચ્ચે ભારે તોફાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મિડિયાએ અહેવાલો અનુસાર એકાએક વિમાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. જ્યારે કેટલાંક અહેવાલો અનુસાર બરફના કરા પડ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ શ્રીનગર ઉપરથી પસાર થઈ રહી હતી. આ સમયે ભારે વરસાદ અને કરા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર તમામ 227 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે, અને ફ્લાઇટનું શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
મિડિયા અહેવાલો અનુસાર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાન ખરાબ હવામાનમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિમાનને અચાનક જોરદાર ધ્રુજારીનો અનુભવવાઈ હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં મુસાફરોમાં ગભરાટ અને અસ્થિરતાની સ્થિતિ જોઈ શકાય છે. ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ટેકનિકલ નિરીક્ષણ માટે વિમાનને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.
Indigo વિમાન પર ત્રાટકી વીજળી યાત્રિકોના જીવ તાળવે ચોટ્યા#Delhi #Srinagar #indigo #flight #turbulance #Hailstorm #emergencylanding #viralvideo pic.twitter.com/57sPVohGZG
— The Gujarat Report (@TGujarat_Report) May 22, 2025
ઇન્ડિગોનું નિવેદન
ઇન્ડિગોએ આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપતાં કહ્યું કે “દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-2142 ને રસ્તામાં અચાનક કરા પડવા પડ્યા હતા. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ સ્થાપિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગર ખાતે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. આગમન પર એરપોર્ટ ટીમે ગ્રાહકોની સંભાળ રાખી અને તેમની સુખાકારી અને આરામને પ્રાથમિકતા આપી. ઈન્ડિગોએ વીજળી પડ્યાની પુષ્ટી કરી નથી.
આ પણ વાંચો:
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station
જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto
Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?
Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!
UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan