Dhanteras 2025: ધન તેરસે સામાન્ય માણસ માટે સોનુ ખરીદવું હવે અશક્ય બન્યું!રોકાણકારોએ જમાવ્યો કબ્જો!

  • India
  • October 18, 2025
  • 0 Comments

Dhanteras 2025:  આપણી પ્રાચીન પરંપરા મુજબ દિવાળી ઉપર ધન તેરસના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે અને આ દિવસે સોનુ ખરીદવાનો મહિમા પણ છે પણ હવે માત્ર ચલણી સિક્કાનું પૂજન કરવું પડે તેવી સ્થિતિ વચ્ચે શુગનનું સોનુ ખરીદવું પણ સામાન્ય માણસ માટે અશક્ય બની ગયું છે તેથીજ જવેલર્સની દુકાનોમાં ગણ્યા ગાંઠ્યા ગ્રાહકોને બાદ કરતાં કોઈ નજરે ચડતું નથી.

ધનતરેસના દિવસે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,32,830 પહોંચી ગયા છે.રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગઈકાલે સોનાના ભાવ 3,200 રૂપિયા વધીને 1,34,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે જે ધનતેરસની પૂર્વ સંધ્યાએજ વધ્યા છે.
એકજ દિવસમાં 3થી 4 હજારનો ભાવ વધારો થયો છે જે દિવાળી સુધીમાં ભાવ 1.35 લાખ પર પહોંચવાની શક્યતા છે.આમ,દિવાળી સુધીમાં સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો આવી શકે છે કારણકે લોકો શેર બજારની જગ્યાએ હવે સોનામાં રોકાણ કરવાનું શરૂ કરતાં ભાવો હવે આસમાને જશે.

સોના અને શેરબજાર વચ્ચેની તુલના કરતા શેર બજારમાં જેઓએ રોકાણ કર્યું તેઓને વિતેલા એક વર્ષમાં કોઇ ખાસ રિટર્ન મળ્યું નથી પણ બીજી તરત દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં 51,000 રૂપિયાથી વધુનો વધારો અને ચાંદીના ભાવમાં લગભગ 70,000 રૂપિયાનો વધારો થયો છે. જોકે આ વખતે મૂહૂર્ત ટ્રેડિંગનો દિવસ 21 ઓક્ટોબર એટલે કે દિવાળીના એક દિવસ પછી છે. હવે જોવાનું રહે છે કે શેરબજાર અને સોના-ચાંદીના ભાવ વચ્ચે શુ ફર્ક હશે.

એક વર્ષની તુલનામાં રોકાણકારો ગણિત લગાવી રહયા છે કે ગયા વર્ષે 31 ઓક્ટોબરે એમસીએક્સ પર સોનાના ભાવ 78,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. જે 16 ઓક્ટોબરે બજાર બંધ થયા પછી ભાવ ઘટીને 1,29,852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા.મતલબ કે વાયદા બજારમાં સોનાના ભાવમાં 51,422 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે 65.56 ટકાનો વધારો થયો છે.
જોકે 17 ઓક્ટોબરના ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનાના ભાવ 2,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 1,32,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા, જે રેકોર્ડ ઉચ્ચ સ્તર છે.

બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ગત વર્ષની દિવાળીથી લઈ અત્યાર સુધી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.માહિતી અનુસાર ગત દિવાળીએ વાયદા બજારમાં ચાંદીના ભાવ રૂપિયા 97,740 પ્રતિ કિલોગ્રામ હતા. 16 ઓક્ટોબર 2025ના ચાંદીના ભાવ રૂપિયા 167,663 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.

રોકાણકારોના મતે શેરબજારે ગત દિવાળી પછી કોઈ ખાસ વળતર આપ્યું નથી.ડેટા પર નજર કરવામાં આવે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ગત દિવાળી, 31 ઓક્ટોબર 2024ના 79,389.06 પોઈન્ટ પર બંધ થયો હતો જે અત્યારે વધીને 83,952.19 પોઈન્ટ પર પહોંચ્યો છે જેનોઅર્થ એ થયો કે સેન્સેક્સે રોકાણકારોને 5.75 ટકા વળતર આપ્યું છે જ્યારે નિફ્ટીએ પણ રોકાણકારોને કોઈ ખાસ વળતર આપ્યું નથી. શેરબજારના ડેટા પર નજર કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક 17 ઓક્ટોબર, 2025 ના 25,709.85 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે ગયા વર્ષે દિવાળી 31 ઓક્ટોબર 2024 ના નિફ્ટી 24,205.35 પોઈન્ટ પર હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ રોકાણકારોને 6.21 ટકા વળતર આપ્યું છે.

આમ,શેર બજારની તુલનામાં રોકાણકારો ને સોનામાં વધુ નફો મળી રહ્યો હોય રોકાણકારો લગડીમાં રોકાણ કરી રહયા છે.ગોલ્ડમેન સૅક્સના તાજેતરના અહેવાલ મુજબ, બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5,000 રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દૃષ્ટિએ, વર્તમાન વિનિમય દરે આ ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,55,000 થશે. બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,44,000 સુધી પહોંચી શકે છે.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે 50,000નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 76,000 હતી, જે હવે વધીને ₹1.34000 લાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ
  • June 30, 2026

SIR Voter List Revision: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨૪ જૂન ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી ‘વિશેષ સઘન પુનરાવર્તિત તપાસ’ (SIR) પ્રક્રિયા આજે એક વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ અનેક રહસ્યો…

Continue reading
IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?
  • June 30, 2026

IIT Faculty Shortage: ભારતની પ્રતિષ્ઠિત ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાઓ (IITs) આજે એક ગંભીર પડકારનો સામનો કરી રહી છે. એક તરફ આ સંસ્થાઓ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

  • June 30, 2026
  • 4 views
SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

  • June 30, 2026
  • 7 views
IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

  • June 30, 2026
  • 7 views
Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

  • June 30, 2026
  • 10 views
Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

  • June 30, 2026
  • 6 views
Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

  • June 30, 2026
  • 12 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!