Mehul Choksi : ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લવાશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી!

  • India
  • October 18, 2025
  • 0 Comments

Mehul Choksi: બેલ્જિયમની એક અદાલતે ભારતની વિનંતીના આધારે ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડને માન્ય રાખીને પ્રત્યાપણનો આદેશ જારી કર્યો હતો. આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેલ્જિયમની એક કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદી બંને પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંબંધમાં ભારતમાં વોન્ટેડ છે.

ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લવાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખતો પ્રાથમિક આદેશ જારી કર્યો છે.બેલ્જિયમના એન્ટવર્પની એક કોર્ટે ભારતની વિનંતીના આધારે તેની ધરપકડને માન્ય રાખતા આ આદેશ આપ્યો છે.આ નિર્ણયને ચોક્સીને પરત લાવવાના ભારતના પ્રયાસો તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

તાત્કાલિક ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં

જોકે, અધિકારીઓના મતે, ચોક્સી પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે. “આનો અર્થ એ છે કે તેને તાત્કાલિક ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં, પરંતુ પ્રક્રિયાનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો પસાર થઈ ગયો છે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

સીબીઆઈની પ્રત્યાર્પણ વિનંતી પર ૧૧ એપ્રિલના રોજ એન્ટવર્પ પોલીસે ૬૫ વર્ષીય મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી. તે છેલ્લા ચાર મહિનાથી બેલ્જિયમની જેલમાં છે. ચોક્સીએ અનેક કોર્ટમાં જામીન અરજીઓ દાખલ કરી છે, પરંતુ દરેક વખતે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

ભારતે એન્ટવર્પ કોર્ટમાં મેહુલ ચોક્સી વિરુદ્ધ મજબૂત પુરાવા અને કાનૂની દલીલો રજૂ કરી, જેમાં તેને ₹13,850 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યુ હતું. CBI એ કોર્ટને જણાવ્યું કે ચોક્સીએ PNB અધિકારીઓ સાથે મળીને નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જારી કરીને કોઈપણ સુરક્ષા વિના વિદેશી બેંકો પાસેથી લોન મેળવી. આ પૈસા પાછળથી શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યુ હતું.

ભારતે ચોક્સી પર છેતરપિંડી, ગુનાહિત કાવતરું, પુરાવાનો નાશ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 201, 409, 420, 477A અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!