‘મનની વાત કહેવાથી ભારતનું ભલુ ના થાય, કોઈ આપણને જ ઉડાવી દે’, Dhirendra Shastriએ રક્ષામંત્રીને શું કહ્યું?

  • India
  • April 27, 2025
  • 6 Comments

Dhirendra Shastri Advice Rajnath Singh on Terror Attacks: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દેશના નાગરિકો ઇચ્છે છે કે સરકાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરે. આ દિશામાં સરકારે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. સામે પાકિસ્તાને પણ પગલા લીધા છે. તેણે શીમલા કરાર રદ કરી નાખ્યો છે. તેણે ભારતને કહ્યું કે જો પાકિસ્તાની નાગરિકોના મોત થયા તો પગલાં લેવામાં આવશે. જો કે આ વચ્ચે  મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પીડિત પરિવારોને ચોક્કસ ન્યાય મળશે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે. હવે બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંરક્ષણ મંત્રીને રાષ્ટ્રીય હિતમાં તેમની “શક્તિ”નો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

એક વાયરલ વીડિયોમાં કથા દરમિયાન આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે, “અમે ભારતના સંરક્ષણ પ્રધાનને પણ અમારી શક્તિનો સારો ઉપયોગ કરવા કહીશું. અમે સત્તાવાર રીતે કોઈ અધિકારી બની શકતા નથી, અમે ભણેલાગણેલા નથી, પરંતુ અમારી પાસે જે ચેતના છે, હનુમાનજીની કૃપા છે, તેનો ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં કરીએ.”

“…કોઈ આપણને ઉડાવી દેશે” – ધીરેન્દ્ર શાસ્ત્રી

તેમણે વધુમાં કહ્યું “આપણી શક્તિનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાં, શું અને કઈ સંભવિત ઘટનાઓ બની શકે છે તે નક્કી કરવા માટે થવો જોઈએ, પરંતુ આ બધું ગુપ્ત રીતે થવું જોઈએ. જો આપણે ખુલ્લેઆમ કહીશું, તો કોઈ આપણને ઉડાવી દેશે. આપણે હવે ભારત માટે પણ, રાષ્ટ્રીય હિત માટે કામ શરૂ કરી રહ્યા છીએ, જેનો દેશને ફાયદો થશે. ફક્ત ‘મન કી બાત’ બોલીને દેશને ફાયદો થશે નહીં.”

જો કે રક્ષા મંત્રીને સલાહ આપવા જતાં ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફસાયા છે. તેઓ ટ્રોલ થઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા મહાન છે તો પહેલગામ હુમલાની ભવિષ્યવાણી કેમ ન કરી? તેમણે હુમલા અંગે પરછી કેમ ન કાઢી?

મોદીએ પોતાના મનની વાત શું કહી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને ખૂબ જ દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે. હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, અને તેમને ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે. જો કે ભારત સરકાર દ્વારા વ્યૂહાત્મક ભગલાં ભરવામાં આવી રહ્યા નથી. પાકિસ્તાન ભારત સામે ચટોર થઈને પગલાં લઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત

હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh

UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

One thought on “‘મનની વાત કહેવાથી ભારતનું ભલુ ના થાય, કોઈ આપણને જ ઉડાવી દે’, Dhirendra Shastriએ રક્ષામંત્રીને શું કહ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 10 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત