
Dhirendra Shastri: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાબા બાગેશ્વર ધામના પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બુધવારે પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો છે. મહાશિવરાત્રી દિવસે બાબા બાગેશ્વર ધામ ખાતે 251 છોકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ પણ અહીં હાજર રહ્યા હતા અને તમામ નવપરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.
ત્યારે મિડિયા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રી એકબીજાના પર્યાય છે?, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી જવબામાં કહ્યું હતુ કે “ના, લોકો જાણે છે, પણ બાગેશ્વર બાબા બાલાજીનું નામ છે. મારું નામ ધીરેન્દ્ર કૃષ્ણ છે અને ફક્ત બાલાજી જ બાગેશ્વર ધામના નામથી જાણી શકાય છે. તે તેમનો મહિમા છે, તેમનો પ્રભાવ છે, તેમની કૃપા છે. આ બધું ફક્ત તેમના ચરણોની કૃપાથી જ થઈ રહ્યું છે”.
ધીરેન્દ્ર શાસ્રીને પૂછવામાં આવ્યું હતુ કે 2025માં લગ્ન કરશો? તેના જવાબ કહ્યું હતુ કે “જલ્દી કરીશ” મતબલ ધીરેન્દ્ર શાસ્રીએ ટૂંક જ સમયમાં લગ્નના તાંતણે બંધવાના સંકેત આપ્યા છે.
આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તરામાંથી દારુ ન ઝડપી શક્યા
આ પણ વાંચોઃ Kedarnath Yatra 2025: કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે? જાણો