
Education Department: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે શિક્ષકોને કુતરાઓની ગણતરી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અંગે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે,પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.
શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં રખડતાં શ્વાનોના સર્વે કરવા અંગે કમિશનર શાળા કચેરી દ્વારા કરાયેલા પત્ર અંગે કોંગ્રેસે કરેલા વિરોધ મામલે પત્રકારે જ્યારે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાને સવાલ કર્યો ત્યારે તેઓએ કહ્યું કે, “આક્ષેપ કરવો કોંગ્રેસનું કામ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલની બહાર જઈને સર્વે કરવાનો નથી.” મંત્રીએ સ્પષ્ટતા કરી કે આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા અને માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યું છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.
બીજી તરફ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા પણ પરિપત્ર સામે વિરોધ કરાયો છે. સંકલન સમિતિએ આ કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
આમ,આ મામલો રાજકીય રંગ પકડી લીધો છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા






