
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટેના કથિત નિર્ણય એક તરફી પોતેજ લઈ રહ્યા હોવાનું હવે ધીરે ધીરે સામે આવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી માટે આ બધા જવાબ આપવાનું મુશ્કેલ બન્યું છે જેનો વિપક્ષ જવાબ માંગી રહ્યું છે.
■ ક્યા ક્યા મુદ્દા નરેન્દ્ર મોદી માટે માથાના દુઃખાવા જેવા રહ્યા? જાણો
● ટ્રમ્પે દુનિયામાં વારંવાર કહ્યું કે, ‘ભારત-પાક વચ્ચે મારા કહેવાથીજ સીઝફાયર થયુ હતું કારણ કે મે ટેરીફનું શસ્ત્ર ઉગામ્યુ હતું આ મામલે નરેન્દ્ર મોદીએ હંમેશા સીધું નિવેદન આપવાનું ટાળ્યું છે.
●રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદવા ટ્રમ્પનું મોદી ઉપર દબાણ વઘ્યું અને તેઓ ગાઈ વગાડી દુનિયામાં ઢંઢેરો પીટતા રહયા કે મોદી મારા સારા મિત્ર છે અને હું કહું તેમ કરશે,પછી એમ પણ કહ્યું કે મારા મિત્રએ મને નિરાશ કર્યો તેથી એક્સ્ટ્રા 25 ટકા ટેરીફ નાખ્યો.
હવે પાછા ટેરીફ પાછો ખેંચવાની વાત ટ્રમ્પ જ દુનિયા સમક્ષ જણાવી અને કહ્યું મારા મિત્ર મોદી મારી વાત માન્યા અને હવે રશિયા પાસેથી નહિ પણ હું કહું ત્યાંથી જ તેલ ખરીદશે.
●ચાઇનની તોપો ભારતીય સરહદ સુધી પહોંચી તે વાતથી દેશને કેમ અજાણ રાખવામાં આવ્યો તે પૂર્વ સેના પ્રમુખના પુસ્તકનો હવાલો આપી જ્યારે વિપક્ષ દ્વારા સવાલ કરાયા ત્યારે પણ તે વાતનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી.
● ઇરાનના ચાહબાર બંદર ઉપર ભારતે કરોડો રૂપિયા અત્યાર સુધી ખર્ચ્યા અને હવે અમેરિકા એ ટાંગ અડાવતા ભારતે ટ્રમ્પના દબાણ હેઠળ પીછેહટ કરી છે.
ભારત માટે ચાબહાર પોર્ટ વ્યહાત્મક છે અને યુરોપ સુધી વેપાર કરી શકે તેમ છે. આ પોર્ટ દ્વારા પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત સીધા મધ્ય એશિયા અને અફગાનિસ્તાનના બજારો સુધી વેપાર કરી શકે તે હેતુથી ભારતે આ પોર્ટ પર અત્યાર સુધી અબજો રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે પણ અચાનક કામ અટકાવી દેવું પડ્યું છે,જેથી સવાલ ઉઠે છે કે શું ભારતે ટ્રમ્પના દબાણમાં આ પગલું ભર્યું છે? શું ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોને કારણે મોદી સરકાર પાછળ હટી ગઈ છે? જેમાં ભારતને મોટું આર્થિક નુકશાન થયું છે કેમકે ભારતે ઈરાન સરકાર સાથે આ પોર્ટ માટે કરાર કર્યા બાદ અત્યાર સુધી તેના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાનું આંધણ થઈ ચૂક્યું છે.
આ પહેલા પણ ચાબહાર પ્રોજેક્ટ અમેરિકાના પ્રતિબંધોની ઝપેટમાં આવી ચૂક્યો છે. વર્ષ 2018માં અમેરિકાએ આ પ્રોજેક્ટને લઈને કેટલીક છૂટછાટ આપી હતી, પરંતુ બાદમાં ટ્રમ્પ પ્રશાસને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. જોકે, સમયાંતરે ફરીથી મર્યાદિત છૂટ આપવામાં આવી. સપ્ટેમ્બર 2025માં અમેરિકાએ ચાબહાર પોર્ટના સંચાલન પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી દીધી ત્યારે તેઓએ ભારતનો વિચાર ન કર્યો.
હવે ટ્રમ્પની દાદાગીરીને લઈ પ્રધાનમંત્રી મોદીની ચાબહાર પોર્ટ માટે કરેલી મોટી મોટી વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે. વર્ષોથી પોર્ટના વ્યૂહાત્મક અને વ્યાપારિક મહત્વને લઈને PM દ્વારા અનેક જાહેર નિવેદનો, જાહેરાતો અને વિકાસના વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ બજેટ 2026-27માં પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવાયો નથી, અને કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યુ નથી ત્યારે સરકારના આ મોટા દાવાઓ પર સવાલ ઉઠ્યા છે અને દરેક વખતની જેમ આ વાતનો જવાબ પણ સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. લોકોમાં સવાલ થાય છે કે જે પ્રોજેક્ટ માટે PM દ્વારા કરોડો રૂપિયાનુ રોકાણ અને મહત્વ દર્શાવાયું હતું, તે હવે કેમ નિષ્ક્રિય બની ગયું છે અને આ અંગે પ્રધાનમંત્રી અને સરકાર કોઈ સ્પષ્ટ વાત કેમ નથી કરતા.
ઉલ્લેખનીય છે કે તા.1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નર્મલા સીતારમણ દ્વારા દેશનું નવમું કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, કુલ ₹ 53.47 લાખ કરોડના આ બજેટમાં ઈરાનના ચાબહાર પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. જ્યારે ગયા વર્ષે બજેટમાં સરકારે ચાહબાર પોર્ટ માટે 400 કરોડ રૂપિયા ફાળવ્યા હતા,આ પોર્ટ ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પણ અચાનક અમેરિકાના દબાણ હેઠળ ભારતે પીછેહટ કરવી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આમ,ચીન અને અમેરિકા જેવા દેશોના પ્રભાવ હેઠળ ભારત કામ કરી રહયાના આરોપ લાગ્યા છે અને દેશ એ જાણવા માંગે છે કે આખરે દેશમાં શું ચાલી રહ્યું છે? આ મામલે સિનિયર પત્રકારો મયુર જાની, અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે જોરદાર શાયરાના અંદાજમાં સચોટ વિશ્લેષણ કર્યું છે તે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







