Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટેના કથિત નિર્ણય એક તરફી પોતેજ લઈ રહ્યા હોવાનું હવે ધીરે ધીરે સામે આવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી માટે આ બધા જવાબ આપવાનું મુશ્કેલ બન્યું છે જેનો વિપક્ષ જવાબ માંગી રહ્યું છે.

■ ક્યા ક્યા મુદ્દા નરેન્દ્ર મોદી માટે માથાના દુઃખાવા જેવા રહ્યા? જાણો

● ટ્રમ્પે દુનિયામાં વારંવાર કહ્યું કે, ‘ભારત-પાક વચ્ચે મારા કહેવાથીજ સીઝફાયર થયુ હતું કારણ કે મે ટેરીફનું શસ્ત્ર ઉગામ્યુ હતું આ મામલે નરેન્દ્ર મોદીએ હંમેશા સીધું નિવેદન આપવાનું ટાળ્યું છે.

●રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદવા ટ્રમ્પનું મોદી ઉપર દબાણ વઘ્યું અને તેઓ ગાઈ વગાડી દુનિયામાં ઢંઢેરો પીટતા રહયા કે મોદી મારા સારા મિત્ર છે અને હું કહું તેમ કરશે,પછી એમ પણ કહ્યું કે મારા મિત્રએ મને નિરાશ કર્યો તેથી એક્સ્ટ્રા 25 ટકા ટેરીફ નાખ્યો.
હવે પાછા ટેરીફ પાછો ખેંચવાની વાત ટ્રમ્પ જ દુનિયા સમક્ષ જણાવી અને કહ્યું મારા મિત્ર મોદી મારી વાત માન્યા અને હવે રશિયા પાસેથી નહિ પણ હું કહું ત્યાંથી જ તેલ ખરીદશે.

●ચાઇનની તોપો ભારતીય સરહદ સુધી પહોંચી તે વાતથી દેશને કેમ અજાણ રાખવામાં આવ્યો તે પૂર્વ સેના પ્રમુખના પુસ્તકનો હવાલો આપી જ્યારે વિપક્ષ દ્વારા સવાલ કરાયા ત્યારે પણ તે વાતનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

● ઇરાનના ચાહબાર બંદર ઉપર ભારતે કરોડો રૂપિયા અત્યાર સુધી ખર્ચ્યા અને હવે અમેરિકા એ ટાંગ અડાવતા ભારતે ટ્રમ્પના દબાણ હેઠળ પીછેહટ કરી છે.

ભારત માટે ચાબહાર પોર્ટ વ્યહાત્મક છે અને યુરોપ સુધી વેપાર કરી શકે તેમ છે. આ પોર્ટ દ્વારા પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત સીધા મધ્ય એશિયા અને અફગાનિસ્તાનના બજારો સુધી વેપાર કરી શકે તે હેતુથી ભારતે આ પોર્ટ પર અત્યાર સુધી અબજો રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે પણ અચાનક કામ અટકાવી દેવું પડ્યું છે,જેથી સવાલ ઉઠે છે કે શું ભારતે ટ્રમ્પના દબાણમાં આ પગલું ભર્યું છે? શું ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોને કારણે મોદી સરકાર પાછળ હટી ગઈ છે? જેમાં ભારતને મોટું આર્થિક નુકશાન થયું છે કેમકે ભારતે ઈરાન સરકાર સાથે આ પોર્ટ માટે કરાર કર્યા બાદ અત્યાર સુધી તેના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાનું આંધણ થઈ ચૂક્યું છે.

આ પહેલા પણ ચાબહાર પ્રોજેક્ટ અમેરિકાના પ્રતિબંધોની ઝપેટમાં આવી ચૂક્યો છે. વર્ષ 2018માં અમેરિકાએ આ પ્રોજેક્ટને લઈને કેટલીક છૂટછાટ આપી હતી, પરંતુ બાદમાં ટ્રમ્પ પ્રશાસને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. જોકે, સમયાંતરે ફરીથી મર્યાદિત છૂટ આપવામાં આવી. સપ્ટેમ્બર 2025માં અમેરિકાએ ચાબહાર પોર્ટના સંચાલન પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી દીધી ત્યારે તેઓએ ભારતનો વિચાર ન કર્યો.

હવે ટ્રમ્પની દાદાગીરીને લઈ પ્રધાનમંત્રી મોદીની ચાબહાર પોર્ટ માટે કરેલી મોટી મોટી વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે. વર્ષોથી પોર્ટના વ્યૂહાત્મક અને વ્યાપારિક મહત્વને લઈને PM દ્વારા અનેક જાહેર નિવેદનો, જાહેરાતો અને વિકાસના વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ બજેટ 2026-27માં પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવાયો નથી, અને કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યુ નથી ત્યારે સરકારના આ મોટા દાવાઓ પર સવાલ ઉઠ્યા છે અને દરેક વખતની જેમ આ વાતનો જવાબ પણ સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. લોકોમાં સવાલ થાય છે કે જે પ્રોજેક્ટ માટે PM દ્વારા કરોડો રૂપિયાનુ રોકાણ અને મહત્વ દર્શાવાયું હતું, તે હવે કેમ નિષ્ક્રિય બની ગયું છે અને આ અંગે પ્રધાનમંત્રી અને સરકાર કોઈ સ્પષ્ટ વાત કેમ નથી કરતા.

ઉલ્લેખનીય છે કે તા.1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નર્મલા સીતારમણ દ્વારા દેશનું નવમું કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, કુલ ₹ 53.47 લાખ કરોડના આ બજેટમાં ઈરાનના ચાબહાર પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. જ્યારે ગયા વર્ષે બજેટમાં સરકારે ચાહબાર પોર્ટ માટે 400 કરોડ રૂપિયા ફાળવ્યા હતા,આ પોર્ટ ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પણ અચાનક અમેરિકાના દબાણ હેઠળ ભારતે પીછેહટ કરવી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આમ,ચીન અને અમેરિકા જેવા દેશોના પ્રભાવ હેઠળ ભારત કામ કરી રહયાના આરોપ લાગ્યા છે અને દેશ એ જાણવા માંગે છે કે આખરે દેશમાં શું ચાલી રહ્યું છે? આ મામલે સિનિયર પત્રકારો મયુર જાની, અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે જોરદાર શાયરાના અંદાજમાં સચોટ વિશ્લેષણ કર્યું છે તે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય