ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરીમાં ધરખમ વધારો; USમાં 41,330 ગુજરાતીઓ ગેરકાયદેસર ઘુસ્યા

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

ટ્રમ્પ સરકાર રચાવાની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા 41,330 ગુજરાતીમાંથી 5,340 નાગરીકોને અમેરિકન સરકારે ‘અસાઈલમ એક્ટ’ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે, અન્ય નાગરિકોને પાછા રવાના કરશે. 2024માં 67,391 ભારતીય નાગરિકોએ ગેરકાયદે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પેન્ડિંગ છે જે થોડા મહિના પછી જાહેર થશે.

હાલમાં અમેરિકન સરકારે જાહેર કરેલા 2023માં 41,330 ભારતીય નાગરિકોમાંથી 5340ને અસાઈલમ એટલે કે આશ્રય આપ્યો છે. જેમાંથી 35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં ઈમિગ્રેશન પોલીસીના કડક થવા સાથે ગેરકાયદે ઘૂસણખોરી માટે ત્યાંનો જનાક્રોશ વિશેષ હોવાથી સરકારે અમેરિકાનું સપનું જોતા ગેરકાયદે ઘૂસણખોરોને ટાર્ગેટ કર્યા છે.

વર્ષ 2021માં આ પ્રકારના ગેરકાયદે રીતે આવેલા 4330 ભારતીય નાગરિકોએ અમેરિકાના આશ્રય માટે અરજી કરી હતી. જેમાંથી 1330ની અરજીને માન્ય રાખીને અમેરિકામાં રહેવાની અનુમતી આપવામાં આવી હતી. વર્ષ 2022માં આ આંકડો ત્રણ ગણો થયો હતો. જેમાં 14,570 ગેરકાયદે રીતે ઘૂસેલા ભારતીય નાગરિકોએ અસાઈલમ માટે અરજી કરી હતી. જેમાંથી 4260ને માન્યતા મળી હતી. ત્રણ વર્ષ પહેલાં અરજી કરનારાઓની સંખ્યા માત્ર 4330 હતી.

જે ત્રણ જ વર્ષ બાદ આઠ ગણી વધી ગઈ છે. 4330માંથી આશ્રય સ્થાન માટે એપ્લાય કરનારા સીધા 41330 પહોંચી ગયા છે. અમેરિકન સરકારે ત્રણ વર્ષ પહેલા 25 ટકા નાગરિકોને માન્યતા આપી હતી. જેની સામે હાલમાં ફક્ત 13 ટકા નાગરીકોને માન્યતા આપી છે. આમ ધીમે ધીમે અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા નાગરિકોની આશ્રય સ્થાન માટેની સંખ્યા વધી રહી છે.

ત્રણ વર્ષ પહેલા જે સંખ્યા હતી તેના કરતાં 2022માં ત્રણ ગણી વધી હતી અને 2025માં તે દસ ગણી વધવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં છેલ્લી સુનાવણી સુધી અમેરિકન સરકારે કુલ 54350 ગેરકાયદે રીતે રહેતા નાગરિકોને અસાઈલમના કાયદા હેઠળ અમેરિકામાં રહેવાની માન્યતા આપી છે જેમાંથી ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ જવાની ઘેલછામાં અમેરિકાની કેનેડા અને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરે છે. ઘણાં પરિવારો સાથે ઘૂસણખોરી કરતાં પકડાઈ પણ જાય છે અને જીવ પણ ગુમાવે છે. ડિંગુચા ગામના જગદિશ પટેલનો પરિવારની ઘટના સર્વ વિદિત છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરકારોએ ભારતીયો દ્વારા થતી ક્રોસ બોર્ડર ઘૂસણખોરી સામે લાલ આંખ કરી છે.

આ પણ વાંચો- GONDAL: ઉતરાયણ પર 4 યુવાનો પર છરી વડે થયેલા હુમલામાં બે શખ્સોની ધરપકડ

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

One thought on “ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરીમાં ધરખમ વધારો; USમાં 41,330 ગુજરાતીઓ ગેરકાયદેસર ઘુસ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!