
Illegal tolls: દ્વારકાથી ભાવગનર સુધીનો નેશનલ ઓથોરીટનો NH51 હાઈવે ગીર સોમનાથમાંથી પસાર થાય છે. અહીં માત્ર 40 કીમીના અંતરે બે ટોલટેક્સ આવેલા છે. જો કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી કહ્યું હતુ કે 60 કિમીની વચ્ચે ટોલટેક્સ હોવું જોઈએ નહીં. જેથી કન્વીનર મુસ્લીમ એકતા મંચ ગુજરાત અને સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પઠાણ દાવો કર્યો છે કે દ્વારકાથી ભાવનગર વચ્ચે લગભગ 4 મહિનાથી ગરકાયેદસર 40 કિમીના અંતરે ટોલટેક્સ ચાલુ કરાયા છે. પ્રજા પાસેથી ખોટા રુપિયા લેવામાં આવી રહ્યા છે. જેથી વાહનચાલકો પાસેથી લીધેલા રુપિયા પાછા આપવામાં આવે તેવી માગ કરી છે. આ મામલે હાઈકોર્ટમાં પણ PIL કરવામાં છે.
ઈમ્તિયાઝ પઠાણણે દાવો કર્યો છે વર્ષ 2016થી શરુ કરાયેલા આ પ્રોજક્ટનું કામ હજુ સુધી ઘણું બધુ કામ બાકી છે, ઘણા ઓવર બ્રીજનું કામ પણ બાકી છે, તેમ છતાં ટોલટેક્સ બનાવી દેવામાં આવ્યા છે અને લોકો સાથે વાહનચાલકો પાસેથી પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની એપ્સ રાજમાર્ગ યાત્રામાં પણ બંને ટોલટેક્સનો ઉલ્લેખ નથી તેમ છતાં ચાલી રહ્યા છે.
ગીર સોમનાથના કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરાઈ હતી. જો કે કોઈ પગલા ન લેવાતાં કન્વીનર મસ્લીમ એકતા મંચ ગુજરાતના ઈમ્તિયાઝ પઠાણ દ્વારા ઓડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar: