
Narendramodi: ગુજરાતમાં બટાટાના ભાવમાં મોટા કડાકાને કારણે હાલ ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે સરકાર સબસીડી માટે પણ કઈ બોલી નથી આજે નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે આ મુદ્દે ખેડૂતો રજુઆત ન કરે તે માટે ખેડૂતોને નજર કેદ રખાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાતના ડીસા (બનાસકાંઠા) અને મહેસાણા પંથકના ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે, બટાટાના ભાવ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટ્યા છે. જે ભાવ પહેલાં મણે ₹450 આસપાસ હતા, તે ઘટીને હવે ₹80 થી ₹180 સુધી પહોંચી ગયા છે.
ઉત્પાદન ખર્ચ પણ નથી નીકળતો: ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ વીઘા દીઠ અંદાજે ₹35,000 થી ₹40,000 નો ખર્ચ કર્યો છે. વર્તમાન ભાવે બટાટા વેચતા વાવેતરનો ખર્ચ પણ વસૂલ થાય તેમ નથી ત્યારે ખેડૂતો બરબાદ થઈ રહયા છે ત્યારે પણ નરેન્દ્ર ભાઈ મોદી ખેડૂતોને સાંભળવાના નથી આ સિવાય સભામાં ભીડ એકઠી કરવા સરકારી બસો ફાળવવા મુદે પણ જનતામાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ મુદ્દે સ્થાનિક અગ્રણી ડોલાભાઈએ વધુ વિગતો આપી છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






