Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • India
  • August 7, 2025
  • 0 Comments

Udaipur Files: ઉદયપુર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા થયેલા કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા ઝઈ રહી છે. આ ફિલ્મ છેલ્લા એક મહિનાથી રિલીઝ ડેટમાં અટવાયેલી હતી.દિલ્હી હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ફિલ્મ સામેના તમામ વાંધાઓને ફગાવી દીધા અને ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો. હવે આ ફિલ્મ શુક્રવારે, 8 ઓગસ્ટના રોજ મોટા પડદા પર પ્રદર્શિત થશે. ત્યારે આ ફિલ્મની ટ્રેલર રિલિઝ થયું છે.

ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું ટ્રેલર રિલીઝ

“ઉદયપુર ફાઇલ્સ” ના ટ્રેલરની શરુઆત એક આકાશી દૃશ્યથી શરૂ થાય છે, જે ઉદયપુરના એક વિસ્તારને દર્શાવે છે, જ્યાં ઘટના બની હતી.ટ્રેલરમાં “સાચી ઘટનાઓ પર આધારિત” લખાણ બતાવવામાં આવ્યું છે, જે દર્શકોને કહે છે કે ફિલ્મ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. ટ્રેલરમાં મંદિરો અને અન્ય ઐતિહાસિક માળખાના દ્રશ્યો શામેલ છે, જે ફિલ્મમાં સાંસ્કૃતિક અને ધાર્મિક તત્વોને રેખાંકિત કરે છે. જે બાદ દ્રશ્યમાં બનારસી મસ્જીદમાં સર્વેની ટીમ જાય છે ત્યાં તેમને કેટલાક એવા પુરાવા મળે છે જે બતાવે છે આ મસ્જિદ ખરેખરમાં મસ્જિદ છે જ નહીં આ મામલો કોર્ટમાં ચાલતો હોવાના દ્રશ્યો બતાવવામાં આવે છે. જે બાદ શહેરમાં કેટલાક લોકો દ્વારા દંગા કરાવવામાં આવતા હોવાથી તેમની પોલીસ ધરપકડ કરીને લઈ જતી જોવા મળે છે આ બધુ કનૈયાલાલ જે એક દરજી છે તે જુએ છે. જે બાદ એક ધર્મ ગુરુ ટીવીમાં ઈન્ટવ્યું આપતા બતાવવામાં આવે છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોઈ તમારા ઘરમાં આવીને વર્ષો સુધી નમાજ પઢે તો શું તે મસ્જીદ થઈ જાય ? આ તેઓ બનારસી મસ્જિદ મામલે બોલે છે. બીજી તરફ કોર્ટમાં વકીલ કહે છે કે, પછીથી તાજમહેલને પણ કહેવાશે કે અહીં તો મંદિર હતું આ બધી ચર્ચા કોર્ટમાં ચાલી રહી છે.

જે બાદના દ્રશ્યોમાં બતાવવામાં આવે છે કે, કનૈયાલાલને કેટલાક મુસ્લિમ સમાજના લોકો આવીને સિમરન મહેતાના સમર્થનમાં પોસ્ટ કરવા બાબતે ધમકાવે છે. જે બાદ બતાવવામાં આવે છે કે, કન્હૈયાલાલને પોલીસ લઈ જાય છે. તેમજ પોલીસ સ્ટેશનમાં કન્હૈયાલાલને ટોર્ચર કરવામાં આવે છે. જે બાદ કનૈયાલાલના પરિવાર સાથેના ભાવુક દ્રશ્યો બતાવવામાં આવે છે જેમાં તેમની પત્ની કનૈયાલાલને દુકાન ખોલવાની પણ ના પાડે છે પરંતુ કનૈયા લાલ કહે છે જ્યારે મે કંઈ કર્યું નથી તો હું કેમ ડરું.. જે બાદ એક વ્યક્તિ ફોન પર સર તન સે જુદા કરવાની વાત કરે છે. કનૈયાલાલનો કેટલાક લોકો પીછો કરતા હોવાથી તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને કહે છે કે, મારા જીવને ખતરો છે ત્યારે પોલીસ કર્મી કહે છે કે, અમે શું તારી આરતી ઉતારીએ.. જે બાદ કનૈયાલાલની પત્નીનો કલ્પાત બતાવવામાં આવે છે અને કનૈયાલાલ જમીન પર લોહીથી લથપથ પડેલા બતાવવામા આવે છે. આ ટ્રેલરમાં પોલીસની ભૂમિકા અને સ્થાનિક સમુદાયની પ્રતિક્રિયાઓ સહિત તંગ પરિસ્થિતિ અને સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.

ધાર્મિક સંગઠનોએ વિરોધ કરતા  ફિલ્મ પર લાગી હતી રોક

કન્હૈયાલાલ સાહુ હત્યા કેસ પર આધારિત આ ફિલ્મ અગાઉ 11 જુલાઈએ રિલીઝ થવાની હતી. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક દ્વારા ફિલ્મની જાહેરાત કરવામાં આવ્યા બાદ, કેટલાક ધાર્મિક સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. આ ધાર્મિક સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મની રિલીઝ ધાર્મિક લાગણીઓ ભડકી શકે છે. ફિલ્મ પર એક ચોક્કસ ધર્મ વિરુદ્ધ પ્રચાર ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. કેટલાક સંગઠનોએ આ ફિલ્મની રિલીઝ સામે કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરી હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફિલ્મની ફરીથી સમીક્ષા કરવા અને સિનેમેટોગ્રાફ એક્ટની કલમ 6 હેઠળ તેના અધિકારોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો. આ પછી, સરકારે ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી લીધો.

જે બન્યું તે જ ફિલ્મમાં છે – અમિત જાની

ઉદયપુર ફાઇલ્સ ફિલ્મના નિર્માતા અમિત જાની કહે છે કે આ ફિલ્મમાં કોઈ તથ્યો ઘડવામાં આવ્યા નથી. કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ કોઈ પ્રચાર કરવામાં આવ્યો નથી. જાનીએ કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં કન્હૈયાલાલ સાથે બનેલી ઘટનાનું સત્ય આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જે બન્યું તે જ બતાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, કોઈના પ્રત્યે ખરાબ ભાવના રાખવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ફિલ્મમાં કોઈ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો નથી, પરંતુ ઘટનાને દર્શાવવામાં આવી છે.

આખરે કન્હૈયાલાલ કોણ હતા?

કન્હૈયાલાલ ઉદયપુરના ધનમંડી વિસ્તારમાં દરજીની દુકાન ચલાવતા હતા. તેઓ એક સામાન્ય નાગરિક હતા જેમનો રાજકારણ કે કોઈ વિવાદ સાથે કોઈ સીધો સંબંધ નહોતો. તેઓ પોતાના પરિવાર, દુકાન અને રોજિંદા જીવનમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ સોશિયલ મીડિયાની એક પોસ્ટે તેમનું જીવન બદલી નાખ્યું.

 નુપુર શર્માના સમર્થનમાં મૂકી હતી પોસ્ટ 

ભાજપના ભૂતપૂર્વ નેતા નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી. કન્હૈયાલાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પયગંબર મોહમ્મદ  પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી. કેટલાક લોકોએ આ પોસ્ટનો વિરોધ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે કન્હૈયાલાલની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્તિ પછી પણ તેમને ધમકીઓ મળતી રહી, જેના કારણે તેમણે પોલીસ પાસેથી સુરક્ષાની પણ માંગ કરી હતી.

ત્રણ વર્ષ પહેલા થઈ હતી હત્યા

ત્રણ વર્ષ પહેલા 28 જૂન 2022 ના રોજ બે યુવાનો રિયાઝ અખ્તર અને ગૌસ મોહમ્મદ કન્હૈયાલાલની દુકાન પર ગ્રાહક તરીકે આવ્યા હતા. તેઓએ કપડાં સીવવાના બહાને કન્હૈયાલાલને બોલાવ્યા અને પછી તીક્ષ્ણ હથિયારથી તેમની ક્રૂરતાથી હત્યા કરી દીધી. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટનાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. હત્યા પછી પણ, ઘટનાની જવાબદારી લેતા બીજો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, આરોપીઓ હત્યાની જવાબદારી લેતા જોવા મળ્યા હતા, તેઓ પોતાને ઇસ્લામના સાચા અનુયાયી ગણાવતા હતા.

આ ભયાનક ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા.આ ઘટના બાદ ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં તણાવ ફેલાઈ ગયો હતો. વિવિધ સ્થળોએ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી અને પોલીસ-પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી અને તેને ધાર્મિક કટ્ટરતાનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું. ઘણા રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ પણ ગુનેગારોને કડક સજાની માંગ કરી હતી.

પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ

રાજસ્થાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને હત્યાના ચાર કલાક પછી જ હત્યારા મોહમ્મદ રિયાઝ અટારી અને ગૌસ મોહમ્મદની ધરપકડ કરી. આતંકવાદી કનેક્શન સામે આવતાં NIA એ કેસની તપાસ કરી. NIA એ બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત 11 લોકોને આરોપી માનીને કોર્ટમાં ચલણ રજૂ કર્યું. બે પાકિસ્તાની આતંકવાદી આરોપીઓ ઉપરાંત, તમામ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓને જામીન પણ મળી ગયા છે જ્યારે 7 આરોપીઓ હજુ પણ જેલમાં છે.

હત્યારાઓને ક્યારે સજા થશે – યશ

હત્યાના ચાર કલાક પછી જ પોલીસ બંને હત્યારાઓને પકડી લઈ ગઈ હતી. તેમ છતાં, આરોપીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી. મૃતક કન્હૈયાલાલ સાહુના પરિવારના સભ્યો સતત ન્યાયની માંગ કરી રહ્યા છે અને હત્યારાઓને મૃત્યુદંડની સજાની માંગ કરી રહ્યા છે. ત્રણ વર્ષ પછી પણ, પરિવારે મૃતક કન્હૈયાલાલ સાહુના અસ્થિ ગંગામાં વિસર્જન કર્યા નથી. કન્હૈયાલાલના પુત્ર યશનું કહેવું છે કે જ્યાં સુધી હત્યારાઓને ફાંસી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અસ્થિનું વિસર્જન નહીં કરે.

ફિલ્મ  8 ઓગસ્ટ 2025 ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ

ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર લાંબા વિવાદ બાદ, હવે તેની રિલીઝને લીલી ઝંડી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મ પર ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દેતા તેની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે તે 8 ઓગસ્ટ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો:

Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી

Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!

Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો

UP: ભોગનીપુરમાં ગંગા કે યમુના નદી વહે છે તેનાથી મંત્રી સંજય નિષાદ અજાણ, કહ્યું ‘ગંગા મૈયા પગ ધોવા આવે છે’

Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો

Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 22 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!