Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • India
  • August 7, 2025
  • 0 Comments

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી આ હુમલાઓને રોકવા માટે દેશના તમામ એરપોર્ટ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે. સિવિક એવિએશન મીનીસ્ટ્રીની સિકયુરિટી વિભાગ દ્વારા 4 ઓગષ્ટે આ સુચના મળી હતી. જેમાં એરપોર્ટ, એરસ્ટ્રિપ, હેલીપેડ, ફલાઈંગ સ્કુલ, અને ટ્રેનીંગ સંસ્થાઓમાં સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યા છે.

ભારત પર વધતાં જતાં હુમલાઓ

દેશમાં વાંરવાર થઈ રહ્યાં છે. હુમલાં પહેલગામ હુમલાની આગ હજુ શાંત પણ નથી થઈ ત્યાં આતંકીઓ તો બીજા હુમલાની તૈયારીમાં લાગી ગયા છે. શહીદોની ચિતાઓ ઠડી પણ નથી પડીને બીજો ખતરો આવીને ઊભો છે. દેશ હવે સુરક્ષિત રહ્યો નથી. લોકોને હવે બહાર નીકળતા પણ વિચાર કરવો પડે કે કોઈ આતંકી અથડાઈ ના જાય. કેમકે આતંકીઓ નિર્દોષ લોકોને જ નિશાન બનાવી રહ્યાં છે.

પુલવામાં અટેક (2019)

આ હુમલો1989 પછી કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો પર થયેલો સૌથી ઘાતક આતંકી હુમલો હતો.પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં થયો હતો. જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા, અને ૩૫થી વધુ ઘાયલ થયા. આ હુમલો એક વાહન આધારિત આત્મઘાતી હુમલો હતો, જેમાં આતંકવાદી આદિલ અહમદ ડારે વિસ્ફોટકોથી ભરેલી એસયુવીને સીઆરપીએફની બસ સાથે અથડાવી હતી.

પહેલગામ આતંકવાદી હુમલો (22 એપ્રિલ, 2025)

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આ હુમલામાં 25 હિન્દુ પર્યટકો, 1 ખ્રિસ્તી પર્યટક અને 1 સ્થાનિક મુસ્લિમ સહિત 26-28 લોકો માર્યા ગયા.

ડ્રોન હુમલાઓ

મે 2025માં, પાકિસ્તાને ભારતના 26 શહેરો પર ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ કર્યા.

સરકારના દાવા કેમ ખોટા સાબીત થાય છે ?

સરકારના મોટા મોટા દાવા થાય છે કે આતંકવાદને ખતમ કરી નાખ્યો છે. તો પછી વાંરવાર કેમ હુમલા થઈ રહ્યાં છે. સરકારના દાવા કેમ ખોટા સાબીત થાય છે. દરેક વખતે હુમલા થયા પછી કાર્યવાહી થાય તો પેલા જ એને રોકવા યોગ્ય પગલાં કેમ નથી લેવાતાં. શું આમ જ નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે.

શું હતી મુખ્ય ઘટના?

કેન્દ્રીય સુરક્ષા એજન્સીની માહિતી મુજબ અસમાજિક તત્વો દ્વારા હુમલાની આશંકા છે. આ સ્થિતિમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ના બને માટે તમામ સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી રહી છે. દેશના તમામ એરપોર્ટ સુરક્ષા વધારી દેવામાં આવી છે.બહારથી આવતા માલ સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.સંવેદનશીલ જગ્યાઓએ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

શું પગલાં લેવા જોઈએ?

આ ઘટનાને ધ્યાનમાં રાખીને બહારથી આવતા લોકો પર વધારે નજર રાખવી જોઈએ. બીજી જગ્યાએ આવતા માલસામાન અને ટપાલ વગેરે પણ ચેક કરવા જોઈએ. વિદેશથી આવતાં લોકો પર નજર રાખવી, તેમના ઓળખાણપત્રો સારી રીતે તપાસવા શંકા જણાય તો તેમને ત્યાં રોકી લેવા. લોકોને પણ સાવચેત કરવા કે કોઈ શંકાશીલ માણસ અથવા વસ્તુ નજરે ચડે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. અજાણ્યા માણસનો વિશ્વાસ કરી તેના પાસેથી કોઈ વસ્તુ લેવી નઈ.

આ પણ વાંચો:

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • Related Posts

    Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
    • June 22, 2026

    Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

    Continue reading
    Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
    • June 22, 2026

    Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

    • June 22, 2026
    • 4 views
    Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

    Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

    • June 22, 2026
    • 5 views
    Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

    Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

    • June 22, 2026
    • 6 views
    Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

    India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

    • June 22, 2026
    • 9 views
    India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

    • June 22, 2026
    • 12 views
    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

    • June 22, 2026
    • 9 views
    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?