
Laxman Singh Congress Suspended: મધ્યપ્રદેશના પૂર્વ CM દિગ્વિજયસિંહના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. લક્ષ્મણસિંહે રાહુલ ગાંધી, ઓમર અબ્દુલ્લા, રોબર્ટ વાડ્રા પર ટિપ્પણી કરી હતી, જેને પાર્ટી વિરુધ્ધનું કૃત્ય ગણાવ્યું હતુ. તેથી તેમને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
રોબર્ટ વાડ્રા અને રાહુલ ગાંધી અંગે શું કહ્યું હતુ?
પહેલગામ ઘટના પછી લક્ષ્મણસિંહે ગુના જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, “રોબર્ટ વાડ્રા કહે છે કે મુસ્લિમોને રસ્તા પર નમાઝ પઢવાની મંજૂરી નથી, તેથી આતંકવાદી હુમલો થયો.” લક્ષ્મણસિંહે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પહેલગામ ઘટના પર કાળજીપૂર્વક બોલવું જોઈએ. આવી ઘટનાઓ આ લોકોની અજ્ઞાનને કારણે બને છે. નહીં તો કોઈની હિંમત નથી.
કોંગ્રેસ પ્રભારીએ સંકેત આપ્યા હતા
મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરીએ લક્ષ્મણ સિંહ સામે કાર્યવાહી અંગે સંકેત આપ્યા હતા. રાહુલ ગાંધીએ 3 જૂને સંગઠન નિર્માણ અંગે બેઠક યોજી હતી. ત્યારબાદ રાજ્ય પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા જીતુ પટવારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યારે પત્રકારોએ લક્ષ્મણસિંહ સામે કાર્યવાહી અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે રાજ્ય પ્રભારીએ કહ્યું – “રાહ જુઓ. તમારા પ્રશ્નનો જવાબ આપવામાં આવશે.”
આ પણ વાંચો:
11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education
કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away
Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી
Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!
Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?
Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…
Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા
દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ