Gandhinagar: દિકરીએ ભાગીને કર્યા કોર્ટ મેરેજ, પિયરીયાઓએ પરિણીતાનું કર્યું અપહરણ

  • Gujarat
  • September 15, 2025
  • 0 Comments

Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં ચાર મહિના પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીનું તેના પિયરિયાઓ દ્વારા અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના રવિવારે બપોરે આશરે અઢી વાગ્યે બની, જ્યારે યુવતી આયુષી તેના સાસરે હતી. આયુષીના મામા કાનજીભાઈ રબારી સહિત છ લોકો એક્ટિવા, કિયા સોનેટ અને ક્રેટા ગાડી સાથે આવ્યા અને ઘરમાં ઘૂસીને આયુષીને બળજબરીપૂર્વક કારમાં ઉઠાવી ફરાર થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અપહરણના ચોંકાવનારા દૃશ્યો કેદ થયા છે.

પિયરીયાઓએ પરિણીતાનું કર્યું અપહરણ

23 વર્ષીય રવિ હિતેન્દ્રકુમાર પટેલે દહેગામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણે દોઢ વર્ષ પહેલાં આયુષી સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ ચાર મહિના બહાર રહ્યા બાદ છેલ્લા બે મહિનાથી તેઓ દહેગામમાં રવિના પરિવાર સાથે રહેતા હતા. ઘટના દરમિયાન આરોપીઓએ ઘરે પહોંચી આયુષીને તેમની સાથે આવવા દબાણ કર્યું. આયુષીએ ના પાડતાં તેઓ લાકડીઓ અને ગડદાપાટુ સાથે ઘરમાં ઘૂસ્યા અને આયુષીને ખેંચીને કિયા ગાડીમાં લઈ ગયા. આ દરમિયાન રવિ અને તેના પરિવારે વિરોધ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને માર માર્યો, જેના કારણે તેઓ નીચે પડી ગયા.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રવિએ તાત્કાલિક પોલીસને જાણ કરી, અને દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં આરોપીઓ તરીકે કાનજીભાઈ રબારી, કેવુલભાઈ રણછોડભાઈ રબારી, દક્ષ જગદીશભાઈ રબારી, ગોવિંદ કનુભાઈ રબારી અને ત્રણ અજાણ્યા શખ્સોના નામનો ઉલ્લેખ છે.

રખિયાલ પોલીસ મથકે બંને પક્ષો વચ્ચે થયો હતો વિવાદ

આઠ મહિના પહેલાં પણ આયુષી અને રવિ ભાગી ગયા હતા, જેને લઈને રખિયાલ પોલીસ મથકે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે આયુષીએ રવિ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને પોલીસ તેમજ સમાજની મધ્યસ્થીથી મામલો શાંત થયો હતો. હવે આ નવી ઘટનાએ ફરી ચર્ચા જગાવી છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  

 Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ

PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?

IND vs PAK: પહેલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં, પાક. સામે ભારતની જીત છતાં દેશમાં જશ્નનો માહોલ નહીં

Trump’s tariff policy: ટ્રમ્પની નીતિ ‘બળિયાના બે ભાગ’ જેવી, ભારત માટે જાહેર ટેરિફ, ચીનને અડપલું કેમ નહીં?

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં