રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • Gujarat
  • October 28, 2025
  • 0 Comments

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં વરસાદી માહોલ વખતે માલ લઈ પહોંચેલા ખેડૂતોનો માલ બગડી જાયતો કોણ જવાબદાર?તેવા સવાલો ખેડૂત આલમમાં ઉઠી રહયા છે. સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા હોવા અંગેના મીડિયામાં અહેવાલો સામે આવતા ભારે ચકચાર જાગી છે.

જેના માટે સુવિધા ઉભી કરવામાં આવી છે તેવા ખેડૂતોને ખરેખરતો આ ગોડાઉનનો લાભ મળવો જોઈએ પણ એવું થતું નથી પરિણામે પાક ઉત્પાદન લઈ ખેડૂતોએ પોતાનાવાહનમાંજ રાતવાસો કરવાની ફરજ પડી રહી હોવાનું કહેવાય છે.

વાસ્તવમાં એપીએમસીની જ ફરજ બને છે કે ખેડૂતોને સવલત આપે પણ એવું થતું નથી ઉપરાંત ખેત ઉત્પાદનનું ગ્રેડીંગ કરાવવા અને સારા ભાવ મેળવી શકે તે માટે ખેડૂતોને મદદ કરવા એપીએમસીએ ફરજિયાત ગ્રેડર રાખવાના હોય છે પરંતુ ગુજરાતમાં 224 એપીએમસી પૈકી મોટાભાગની એપીએમસીમાં ભાગ્યે જ ગ્રેડર છે.

બીજું કે એપીએમસીમાં ડિજિટલ બોર્ડ ઉપર કેટલો ભાવ, કેટલો માલ છે, કેટલા માલની હરાજી થઈ, કયા ભાવે હરાજી થઈ, આ બધી માહિતી સતત અપડેટ કરવાની હોય છે જેથી ખેડૂતો વાકેફ થાય. પણ એકેય એપીએમસીમાં ડિજિટલ બોર્ડ પર માહિતી જ દર્શાવાતી નથી. ખેડૂતોના પાક ઉત્પાદનને સાચવવા માટે સ્ટોરેજ આપવાની એપીએમસીની જવાબદારી છે. પણ અમુકને બાદ કરતાં મોટાભાગની એપીએમસીમાં વેપારી-મળતિયા અને દલાલોએ જ સ્ટોરેજ પર કબ્જો કરી લીધો છે. ખેડૂતોને સ્ટોરેજની સુવિધા જ મળતી નથી. જો પાક ઉત્પાદન લઈને એપીએમસી આવે અને કમોસમી વરસાદ પડે તો માલ ક્યાં મૂકવો એ પ્રશ્ન ઉભો થાય છે અને પરિણામે ખેડૂતોનો માલ બગડી જાય છે આમ,ખેડૂતોના નામે કરાયેલી સવલતો ઉપર કોઈ બીજાજ રાજ કરી રહયા હોવાની બૂમ ઉઠવા પામી છે.

આ પણ વાંચો:

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 16 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 6 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 14 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!