
Gujarat: દુષ્કર્મી આસારામને હાઈકોર્ટે 3 મહિના ફરીવાર જામીન આપ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં આજે(28 માર્ચ, 2025) સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે કે 30 જૂન સુધીના હંગામી જામીન આપ્યા છે. આસારામે 6 મહિનાના કાયમી જામીન માગ્યા હતા. જો કે 3 જ મહિનાના જામીન મંજૂર થયા છે.
ઉલ્લેખનીય છે કે આસારામના વચગાળાના જામીન 31 માર્ચે પૂરા થઈ રહ્યા છે. ત્યારે તેમને હાઈકોર્ટમાંથી 3 મહિનાના જામીન મળ્યા છે. હાઇકોર્ટે કહ્યું છે કે મેડિકલ રિપોર્ટ ક્રોસ ચેક કરાયા છે. તબીબી સારવારનો દરેકને હક્ક છે. 30 જૂન સુધી જામીન આપી શકાય. જેમાં તે સાધકોને મળે નહીં અને 03 પોલીસ કર્મચારી સાથે રહેશે.
આસારામ પર મહિલાઓ પર બળાત્કાર અને હત્યા જેવા કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે. જો કે જેલમાં સ્વાસ્થ્ય સારુ ન રહેતું હોવાથી તેઓ જામીન પર બહાર રહે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના કાર ઉદ્યોગને શું અસર થશે? | Trump Tariff On Cars
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft
આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા
આ પણ વાંચોઃ જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev