Gujarat Education Scam: ગુજરાતની સરકારી કૃષિ યુનિ બની કૌભાંડોની યુનિવર્સિટી!

Gujarat Education Scam:ગુજરાતમાં કૃષિ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણના ઉમદા હેતુ સાથે શરુ કરવામા આવેલી સરકારી કૃષિ યુનિ.ઓ આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ તેના મુખ્ય સુત્રધારો ખુદ કુલપતિઓ અને તેમા રાજય સરકારની રહેમ નજર.રાજ્ય સરકાર કુલપતિઓને રક્ષણ આપીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે ખુલાસો કરતા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

સરકારમા કુલપતિઓને કોણ બચાવી રહ્યુ છે ?

કુલપતિઓએ પગારના નામે કરોડો રૂપિયા લૂંટ્યા હોવાના આક્ષેપો છે, જેને સરકારી આદેશો પછી પણ વસૂલાત નથી થઈ ત્યારે સવાલ થઈ રહ્યા છે કે, પગારના નામે કરોડો રુપિયા ઓળવી ગયેલા કૃષિ યુનિ,ના કુલપતિઓ સરકારી આદેશ પછી પણ નાણા સરકારમા જમા કેમ કરાવતા નથી ? સરકારમા કુલપતિઓને કોણ બચાવી રહ્યુ છે ? રાજ્ય સરકાર વસુલાત માટે કડક વલણ કેમ નહી ? તેવા સવાલો મનહર પટેલે કર્યા છે.

રાજ્ય સરકાર તપાસ કરવાને બદલે કૌભાંડોને દબાવી રહી છે

રાજયની કૃષિ યુનિ,ઓમા એક પછી એક કૌંભાંડ બહાર આવે છે પરંતુ રાજ્ય સરકાર તેમા તપાસ કરી કૌભાંડીઓને જેલ હવાલે કરવાને બદલે કૌભાંડોને દબાવી રહી છે અને કૌભાંડીઓને બચાવી રહી હોય તેવો સંદેશો છોડી રહી છે.

જુનાગઢ કૃષિ યુનિના  કુલપતિ ડો ચોવટીયાના પુત્ર – પુત્ર વધુના ગુનાઓ

જુનાગઢ કૃષિ યુનિના કુલપતિ ડો ચોવટીયાના પુત્ર – પુત્ર વધુની જે પી વેન્ચર કંપનીના નામે ટેન્ડરો મેળવીને નાણાકીય લાભો મેળવવા કંપનીના ખોટા કાગળો બનાવ્યા અને ટર્ન ઓવરના બોગસ આધારો ઉભા કરીને ગંભીર ગુનો આચરેલ છે, છતાં કુલપતિ ઉપર કોઇ કાર્યવાહી કરવામા આવી નથી. કુલપતિએ પોતાના પરિવારના સભ્યોને નાણાકીય લાભ આપવા પદનો ગેરઉપયોગ કરેલ છે. તેના વિરુદ્ધમા એક સામજીક સંસ્થાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન થી લઈને ગુજરાતના પોલીસ વડા સુધી ફરીયાદો થયેલ છે છતા કોઇ કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામા આવી નથી.

આણંદ કૃષિ યુનિ ના કુલપતિ ડો બી કે કથીરિયાના વિરુદ્ધમા અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો

આણંદ કૃષિ યુનિ ના કુલપતિ ડો બી કે કથીરિયાના વિરુદ્ધમા અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જેવા કે સિકયુરિટી કોન્ટ્રાકટમાં તેમની માનીતી પાર્ટીને ટેન્ડર પ્રક્રિયાથી ઓર્ડર આપવા માટે તમામ નિયમો તેમજ ભલામણો નેવે મૂકી ગેરરીતિ કરવામાં આવેલ છે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણ મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટ કે ખરીદી માટે “મિનિમમ ક્રાયટેરિયા એન્ડ મેક્સિમમ પર્ફોમર” હોય છે, જ્યારે અહિયા 122 પૈકી 121 એજન્સીને કોઈપણ જાતની છૂટછાટ નહી અને તમામ121 કંપનીઓ ટેકનિકલ ઈવોલ્યુશન માંથી દૂર કરી ફક્ત એક જ કંપનીને ફાઇનાન્સિયલ ઈવોલ્યુશન માટે મોકલેલ હતી જે નિયમથી તદ્દન વિરુદ્ધ છે. ઉપરાંત ભૂતકાળમાં ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ અપાયો નથી અને માનીતી માનીતી કંપનીને ત્રણ વર્ષનો લાંબો કોન્ટ્રાક્ટ આપેલ છે.

કુલપતિઓ નિયમ વિરુદ્ધ મેળવે છે પગાર 

તમામ કૃષિ યુનિના કુલપતિઓ નિયમ વિરુદ્ધ પગાર મેળવે છે કરોડો રુપિયા પોતાના બેન્ક ખાતામા જમા થઈ રહ્યા છે, આ અંગે અનેક રજુઆત અને સરકારી રાહે તેની નોંધ પણ લેવામા આવી પરંતુ આજ દિવસ સુધી ભ્રષ્ટ કુલપતિઓ જે પગાર પેટે નિયમ વિરુદ્ધ નાણા ઓળવી ગયા છે તે રાજ્ય સરકાર વસુલાત કરી શકી નથી, ખરેખર આ ગુનામા તેમને પદ ઉપરથી દુર કરી નાણાની ઉચાપતના ગુનામા જેલ હવાલે મોકલીને કોર્ટની રાહે કાર્યવાહી કરવી જોઇએ. આવા કોઇ પગલા રાજ્ય સરકારે ભર્યા નથી.

લાયકાત વગરના કુલપતિઓની નિમણુક

લાયકાત વગરના કુલપતિઓની નિમણુક કરવી, કૃષિ યુનિ ઓમા કર્મચારી/અધિકારીઓની ભરતીઓમા ગેરરીતીઓ આચરવી, ખરીદી અને મરામતના કોન્ટ્રાક આપવામા ભ્રષ્ટાચારોની ફરીયાદો રાજ્ય સરકાર સામે થયેલ છે પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી.

રાજ્ય સરકાર ઘોર નિંદ્રામા

સરદાર કૃષિનગર કૃષિ યુનિ.ના કુલપતિની લાયકાત અને નિમણુક બાબતે અનેક રજુઆતો અને ફરિયાદો થયેલ છે પરંતુ રાજ્ય સરકાર સંપુર્ણ ઘોર નિંદ્રામા હોય તેમ આવા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉપર તપાસ કે કાર્યવાહી કરવા પણ તૈયાર નથી. જે ભ્રષ્ટાચારને સમર્થન કરવાનો સીધો સંકેત આપે છે.

કૌભાંડો ઉપર યોગ્ય તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરે સરકાર

રાજ્ય સરકાર કૃષિ યુનિ ઓના ભ્રષ્ટાચારને નિર્મુલન કરવાની ઇચ્છા ધરાવતી હોય તો કુલપતિઓના પગારપેટે પચાવેલ નાણાની વસુલાત, કૃષિ યુનિઓમા ચાલતા મનસ્વી વહીવટ,લાયકાત વગરના કુલપતિની નિમણુકો, કર્મચારીઓની ભરતીમા અને ખરીદીમા કૌભાંડો ઉપર યોગ્ય તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલ કૃષિ યુનિ.ઓને તેમાથી બહાર કાઢવામા આવે.

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?