Election: ગુજરાતમાં આજે મત ગણના ; ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અગ્નિ પરીક્ષા

Election: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરીનો દિવસ છે ત્યારે રાજ્યમાં ખૂબજ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહયો છે.રાજ્યમાં આ વખતની ચુંટણીઓ કઈક અલગ અંદાજમાં રહી છે અને મારામારી,ઝપાઝપી, બળજબરીથી ફોર્મ પરત ખેંચાવવા જેવી શરમ જનક ઘટનાઓ વચ્ચે મહેસાણામાં એક મર્ડર પણ થયું.આ બધા વચ્ચે ભાજપ તેની જે સીટો હતી તે યથાવત રાખવામાં સફળ રહેશે કે વધશે કે ઘટશે તેની ઉપર સૌની નજર છે.આજે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે.

મહત્વનું છે કે રાજ્યમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી ભાજપનો સતત કબ્જો રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ ? તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે. મહાનગરપાલિકાઓમાં સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર કે તે પછીના સમયગાળામાં આજે લગભગ મહાનગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે,જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીઓ દરમિયાન તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 61 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 90 ટકા બેઠકો ભાજપ માટે જીતી બતાવી હતી.હવે 2026માં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ એ સિલસિલો જાળવી રાખશે કે કેમ?તેનો પણ આજે ફેંસલો થવાનો છે.એટલેજ આ વખતે જો 2021ના પરિણામો કરતા નબળું પરિણામ આવશેતો 2027ની ચૂંટણી પહેલા સંગઠન-સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે.જગદીશન પંચાલની આ એક અગ્નિપરીક્ષા છે,તેમાં તેઓ કેટલા સફળ રહેશે તેની આજે ખબર પડી જવાની છે,જેથી ભારે ઉત્સુકતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

Related Posts

Gujarat Congress Protest: હિંમતનગરથી ધરમપુર સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, ગેસ સિલિન્ડર-બળદગાડા સાથે સરકાર સામે રોષ વ્યક્ત
  • June 12, 2026

Gujarat Congress Protest: ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષે વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓ સામે સરકારને ઘેરવા માટે ‘જન આક્રોશ’નો શંખ ફૂંક્યો છે. હિંમતનગર, ચીખલી અને ધરમપુર જેવા વિવિધ વિસ્તારોમાં…

Continue reading
Borsi Shrimp Ponds Demolition: પર્યાવરણ બચાવ કે ગરીબોની રોજી પર ઘા? બોરસીના ઝીંગા તળાવો તોડી પાડતા ભારે વિવાદ!
  • June 10, 2026

Borsi Shrimp Ponds Demolition: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ઝીંગા ઉદ્યોગ પર આખરે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન પર કોઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!

  • June 14, 2026
  • 3 views
Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

  • June 14, 2026
  • 4 views
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ

  • June 14, 2026
  • 8 views
Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ

Gujarat Pharma Drug Abuse Crisis: 208 ફાર્મસી પર દરોડા, દવાનો નશો કરતું ગુજરાત

  • June 14, 2026
  • 7 views
Gujarat Pharma Drug Abuse Crisis: 208 ફાર્મસી પર દરોડા, દવાનો નશો કરતું ગુજરાત

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

  • June 13, 2026
  • 4 views
Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

  • June 13, 2026
  • 6 views
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!