Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

Gujarat: ગુજરાતના હિરા ઉદ્યોગો અને તેના રત્નકલાકારો છેલ્લા 3 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યા છે. ઘણા રત્નકલાકારોએ તો આપઘાત કરી લીધા છે. ત્યારે હવે પાછળથી જાગેલી સરકારે સહાયની જાહેરાત કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ, રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની શિક્ષણ ફી (મહત્તમ ₹13,500) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા માફ કરવામાં આવશે. નાના ઉદ્યોગો માટે ₹5 લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ માટે 9% વ્યાજ સહાય અને એક વર્ષ માટે વીજ ડ્યૂટીમાં રાહત આપવામાં આવશે. આ યોજનાનો લાભ 31 માર્ચ, 2024થી બેરોજગાર રત્નકલાકારોને મળશે. જોકે, રત્નકલાકારો દ્વારા એક વર્ષ પછીની ફી અને ડેટા ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

સરકાર કહે છે કે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશે. જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જો કે તે કેવી રીતે રાહત આપશે તે પણ એક સવાલ છે.

ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવમાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાનાં બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઘણા રત્નકલાકારો અન્ય કામધંધામાં લાગી ગયા હતા. ડાયમંડ વર્કર્સ યુનિયનના દાવા પ્રમાણે છેલ્લા 16 મહિનામાં 71 રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં મોટાભાગના લોકોએ આર્થિક સંકડામણથી આ પગલું ભર્યું હતું. ત્યારે મોડે મોડેથી જાગેલી ગુજરાત સરકારે રત્નકલાકારોને સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે. જો કે સરકાર કેવી રીતે સહાય પૂરી પાડી છે તે પણ એક સવાલ છે. શું સરકારની સહાય ખરેખર જરુરિયામંદ છે તેને પહોંચેશે ખરી?

આત્મહત્યા કરનારા રત્નકલાકારોનું શું થશે?

સરકારે કહ્યું આત્મહત્યા કરનારા રત્ન કલાકારોની યાદી ડાયમંડ એસોસિએશન પાસેથી મંગાવી છે. આ યાદી મળે એ સાથે જ તે અંગે નિર્ણય લેવાશે. આત્મહત્યાના કારણોની પણ તપાસ કરવામાં આવશે. મતલબ હજુ સુધી પોલીસ આપઘાત પાછળના કારણો શોધી શકી નથી.

આ પણ વાંચો:

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સનું લીસ્ટ અપડેટ, અંબાણી-અદાણી કયા સ્થાન પર? મસ્કની શું સ્થિતિ? | Bloomberg

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ