Jamnagar: અંબાણીના વનતારાની એકાએક કેમ તપાસ?, આ તો કારણો નથી!

Jamnagar Vantara Investigation: મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંત અંબાણીનું પ્રાઈવેટ ઝૂ વનતારા શંકાના ઘેરામાં આવ્યું છે. આ પ્રાઈવેટ ઝૂ ગુજરાતના જામનગરમાં આવેલું છે. જેનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. વનતારાની તપાસ માટે સુપ્રિમ કોર્ટે SIT ની રચના કરી છે. તપાસ એ કરાશે કે આ વનતારામાં ક્યાંથી પ્રાણીઓ લવાઈ છે. ઉપરાંત પ્રાણીઓનું સંપાદન, કાનૂની પાલન, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ, પર્યાવરણીય ચિંતાઓ, સંગ્રહ અને સંરક્ષણ, વન્યજીવન વેપાર, નાણાકીય પાલન કરીને પ્રાણીઓ લવાઈ છે કે કેમ તે તપાસ થશે.

જેથી અનંત અંબાણી મુશ્કેલીમાં મૂકાયા છે. આ એવું પ્રાઈવેટ ઝૂ છે જેમાં કોઈ વ્યક્તિ કે મિડિયાકર્મીને પ્રવેશવાનો ઈન્કાર છે.

બીજા ઘણા સવાલો

ખાનગી રાહે ચાલતાં આ વનતારા ઝૂમાં હિંસક પ્રાણીઓ માટે માંસ ક્યાંથી લાવવામાં આવે છે. કયા પ્રાણીઓનું આપવામાં આવે છે. પ્રાણીઓને માંસ આપવા જે જીવનો જીવ લેવાઈ છે તે કાયદેસર છે કે કેમ, તે તમામ મુદ્દે સવાલો ઉભા થયા છે. વનાતારાની જમીનના પણ પ્રશ્નો છે. વનાતાર કાયદેસર છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે. બીજા આરોપ છે કે ત્યા રખાતાં હાથીઓને કાયદેસર લવાયા છે કેમ.

વડોદરાથી વનતારા જતાં સસલા ઝડપાયા હતા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરા રેલવે સ્ટેશન પરથી સસલા, ગીનીપીક ક્રૂરતાપૂર્વક ભરેલા પકડાયા હતા. ત્યારે તપસમાં બહાર આવ્યું હતુ કે ક્રૂરતાપૂર્વક ભરેલા સસલા વનતારામાં હિંસક પ્રાણી માટે લઈ જવામાં આવી રહ્યા હતા.  આ  સસલા, ગીનીપીક કલકતાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા. જેમને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યા હતા. કલકતાથી આ જાનવરો લગભગ 20 કલાક સુધી મુસાફરી કરી હતી. ત્યારબાદ વડોદરા ઉતારાયા હતા.  જાનવરોને વડોદરા ઉતારવાનું કારણ બીજી ટ્રેન બદલવીની હતી. અન્ય ટ્રેનમાં આ જાનવરોને જામનગરમાં પહોંચાડવાના હતા. જો કે  ત્યારે આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ અંબાણીના ગઢ ગણાતાં જામનગરમાં અદાણી ગૃપે પગપેસારો કર્યો છે. જેથી બંને ઉદ્યોગપતિઓ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. જેને લઈ આ ઉહાપોહ થઈ રહ્યો હોવાની વાત પણ થઈ રહી છે.

ત્યારે આ મુદ્દે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં કે વનતારાની કેમ તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો:

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

અંબાણી સાહેબના વનતારામાં PM મોદીએ રમાડેલા વન્ય જીવોને લઈને સૌથી મોટો ખુલાસો

Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?

PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?

Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ

Ahmedabad: ‘નયનની હત્યાને હિન્દુ-મુસ્લિમનો રંગ ના આપો’, VHPના ધર્મેન્દ્ર ભવાની અંગે મુસ્લિમ સમાજે શું કહ્યું?

Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?

Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?

Related Posts

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
  • December 13, 2025

Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

Continue reading
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
  • December 13, 2025

PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ