Gujarat News: ખેતી બરબાદી તરફ, ભાજપ સરકાર અને કુદરતનો કેર

 Gujarat News: નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. તેમાં અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાંના સાથે 1 કરોડ 20 લાખ 57 હજાર ટન ઉત્પાદન થવાની ધારણા કૃષિ વિભાગે દર્શાવી હતી. પણ તેમાં 4 વરસાદથી જો 30 ટકા નુકસાન થાય તો પણ 3 લાખ 50 હજાર ટનથી 4 લાખ ટન નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન મૂકી શકાય છે.

10 ટકા પ્રમાણે નુકસાન – 12 લાખ 05 હજાર 700 ટન ગણી શકાય.

30 ટકા પ્રમાણે નુકસાન – 36 લાખ ટન નુકસાન ગણી શકાય છે.

ભાવમાં નુકસાન

તમામ પાકનો સરેરાશ ભાવ એક કિલોના માત્ર રૂ. 25 ગણવામાં આવે તો નુકસાન 3000 કરોડથી રૂ. 9 હજાર કરોડનું નુકસાન ગણી શકાય તેમ છે.

એક કિલોના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણવામાં આવે તો તે 3 ગણું ગણી શાકાય છે. મતલબ કે રૂ. 27 હજાર કરોડ સુધી નુકસાન હોઈ શકે છે.

શાક, ફળ, ફૂલ, મરી મસાલા પાકોને નુકસાન 

શાક, ફળ, ફૂલ, મરી મસાલાના પાકોનું કુલ વાવેતર 21 લાખ 60 હજાર હેક્ટરમાં 2 કરોડ 86 લાખ ટન આખા વર્ષનું ઉત્પાદન થાય છે. જે હેકટરે સરેરાશ 13 ટન પેદા થાય છે. જેના ભાવનો અને નુકસાનીનો અંદાજ માત્ર 10 ટકા ગણવામાં આવે, 28 લાખ ટન ઉત્પાદન ઓછું થવાની શક્યતા મૂકી શકાય છે.

કમોસમી વરસાદને કારણે સીતાફળના સારા ઉત્પાદન પર વિપરીત અસર થઈ હતી.

ક્યાં વરસાદ

ગીર સોમનાથમાં કમોસમી વરસાદનું જોર: કોડીનાર

મગફળી અને સોયાબીન

25 ઓક્ટોબર 2025

6 દિવસ માવઠું થતાં મોટાભાગનો વિસ્તાર આવરી લીધો છે. ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ

ભાવનગરમાં સીતાફળ ફાટી ગયા હતા, અને બાકીના ખરી ગયા હતા. જેથી 10 થી 20 ટકા જેવું નુકસાન થયું હતું.

27 ઓક્ટોબર 2025

નવસારી જિલ્લામાં ડાંગરના પાક 55 હજાર હેક્ટર વિસ્તારમાં કાપણી કરવાની હતી. ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. ભીંજાયેલ ડાંગર પૌવા મિલ કે રાઈસ મિલ (પ્રોસેસરો) દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવશે.

4 મે 2025

અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન

5 મે 2025

ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થયો

6 મે 2025

ઉત્તર ગુજરતામાં માવઠું, 168 તાલુકામાં વરસાદ ખાબક્યો

10 મે 2025

કમોસમી કહેર વરસતા તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન થયું

17 મે 2025

15 માર્ચ 2015માં વરસાદ

સોમનાથના તાલાલામાં માવઠા અને પવનથી કેરીના પાકને ગંભીર અસર કરી છે. કેરી ખરી પડી તેથી

પાકમાં 50% નુકસાન, પપૈયામાં 20%, કેળામાં 15%, તલમાં 40% અને ડાંગરમાં 15% નુકસાન નુકસાનનો અંદાજ હતો.

29 સપ્ટેમ્બર 2025

સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાછોતરા વરસાદએ વેરેલા વિનાશથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું

કૃષિ વિભાગે 2025-25ના વાવેતર અને ઉત્પાદનના અંદાજો મૂક્યા હતા. પણ ચોમાસા પછીના કમોસમી વરસાદ, કરા, પવનને કારણે ભારે મોટું નુકસાન થાય એવા 3 વરસાદ આવી ગયા છે.

તેથી સરેરાશ 30 ટકા ઉત્પાદન મહત્વના પાકમાં થવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે.

ડાંગર

ડાંગર 9 લાખ હેક્ટરમાં 22 લાખ ટન પાકવાનો અંદાજો કૃષિ વિભાગે મૂક્યા હતા. હેક્ટર દીઠ 2500 કિલો સરેરાશ ડાંગર પાકવાનો અંદાજ હતો.

બીજા ધાનનું વાવેતર

બીજા અનાજ 4 લાખ 78 હજાર હેક્ટર વાવેતર ચોમાસામાં થવાનો અંદાજ હતો.

8 લાખ 72 હજાર ટન અન્ય અનાજ પાકવાનો અંદાજ હતો. હેક્ટર દીઠ 2200 કિલો પાસે એવો અંદાજ હતો. જેમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, નાના અનાજ હતા.

કઠોળ

તુવેર, અડદ, મગ, મેથી સાથે કુલ 4 લાખ 60 હજાર હેક્ટમાં વાવેતર અને 4 લાખ 85 હજાર ટન ઉત્પાદનનો અંદાજ હતો. હેક્ટરે સરેરાશ 1950 કિલો કઠોળ પાકવાના હતા.

તેલીબિયાં

31 લાખ 77 હજાર હેક્ટરમાં તેલિબિયાના વાવેતર અને ઉત્પાદન 85 લાખ ટન અને હેકટરે સરેરાશ 2688 કિલો પાકવાના હતા.

મગફળી

22 લાખ હેક્ટરમાં 66 લાખ ટન પાકવાની હતી. હેકટરે સરેરાશ 2990 કિલો પાકવાની શક્યતા કૃષિ વિભાગે બતાવી હતી.

સોયાબિન

2 લાખ 87 હજાર હેક્ટરમાં વાવેતર અને 4 લાખ 71 હજાર ટન પાકવાની ધારણા હતા. હેકટરે ઉત્પાદન 1642 કિલો પાકે એવો અંદાજ હતો.

એરંડી

એરંડી પણ ખેતરમાં ઉભી છે. જે 6 લાખ 34 હજાર હેક્ટરમાં 14 લાખ 35 હજાર ટન થવાની ધારણા હતી. હેક્ટરે 2265 કિલો થાય તેમ હતી.

કપાસ

કપાસનું વાવેતર 21 લાખ 40 હજાર હેક્ટરમાં થવાની ધારણા છે અને 73 લાખ 38 હજાર ગાંસડી થઈ શકે તેમ હતો. હેક્ટરે 582.49 કિલો થવાની ધારણા હતી.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 5 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 3 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 10 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

  • October 31, 2025
  • 8 views
Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

  • October 31, 2025
  • 19 views
Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?

  • October 31, 2025
  • 11 views
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?