
Congress Adhiveshan 2025: અમદાવાદમાં 8-9 એપ્રિલ, 2025 દરમિયાન યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં બેઠક વ્યવસ્થા અંગે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતને બેસવાની પણ જગ્યા મળી ન હતી. અમિત ચાવડાએ ખુરશી શોધી તેમને ત્રીજી હરોળમાં બેસાડ્યા હતા. જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોરને પણ બેસવા માટે યોગ્ય જગ્યા મળી ન હતી. ગેનીબેનને બે સોફા વચ્ચે બેસવું પડ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઘટનાએ બેઠક વ્યવસ્થાના આયોજન પર સવાલો ઉભા કર્યા છે.
અધિવશનમાં કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી 2027માં જીતનો દાવો કર્યો છે. અહીં રાહુલ ગાંધી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસનું અધિવેશને કેટલું ફળશે? શું અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસને સ્વીકારશે. જુઓ ખાસ ચર્ચા.
આ પણ વાંચોઃ
કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress
યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow
UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ
મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence