
Gujarat Politics: ગુજરાતમાં જ્યારે જ્યારે ચુંટણીઓ આવે ત્યારે રાજકીય નેતાઓના આદિવાસી પટ્ટીમાં આંટાફેરા વધી જાય છે અને ભોળા આદિવાસી સમાજના મતો મેળવવા મોટી મોટી વાતો કરે છે પણ હકીકતમાં આદિવાસીઓના નામે અન્ય લોકો લાભ મેળવી જાય છે.
હવે રાજ્યમાં ચૂંટણીઓનો માહોલ છે ત્યારે રાજકીય પક્ષોમાં આ વિસ્તારમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.
ગુજરાતમાં ખોટા આદિવાસી પ્રમાણપત્રોના આધારે નોકરી અને રાજકીય પદો મેળવવાના ગંભીર આક્ષેપો અવારનવાર લાગી રહયા છે.
તાજેતરમાં મોટા પ્રમાણમાં આપવામાં આવેલા હજ્જારો બોગસ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની માંગ ઉઠી છે. અગાઉ, ભાજપના સાંસદ નિમિષા સુથાર (પૂર્વ મંત્રી) પણ પોતે ખોટા આદિવાસી પ્રમાણપત્રથી મંત્રી બની ગયાના આક્ષેપો લાગી રહયા છે.
આદિવાસી નેતાઓના દાવા મુજબ, રાજ્યમા અનેક લોકો બોગસ દાખલાના આધારે આદિવાસીના લાભો મેળવી રહ્યા છે જયારે અસલ આદિવાસી સમાજ લાભોથી વંચિત રહ્યાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ ભાઈ પટેલે સ્થાનિક પત્રકાર ઉમેશ ભાઈ અને ડૉ.રાજન ભગોરા સાથે વિસ્તુત ચર્ચા કરી હતી જેમાં આદિવાસી સમાજ સાથે થતા અન્યાય અને ખોટા આદિવાસી પ્રમાણ પત્રોનો મુદ્દો ચર્ચાયો હતો, આ વીડિયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








