Gujarat Politics: પહેલીવાર મહુધાના ધારાસભ્યને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન, સંજયસિંહ મહિડાએ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ

  • Gujarat
  • October 17, 2025
  • 0 Comments

Gujarat Politics: ગઈકાલે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયા બાદ આજે ગુજરાતમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં જૂના મંત્રીઓને પણ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો છે. ત્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી ખેડા જીલ્લાની મહુધા વિધાનસભા વર્ષ 2022માં ભાજપના હાથમાં આવી હતી. જ્યાં કમળા ગામના સંજયસિંહ મહિડા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે તેમને સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળતાં મહુધામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સંજયસિંહ મહિડાને સ્થાન મળતાં મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા બાદ બાદ આજે (17 ઓક્ટોબર) મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે ખેડા જીલ્લામાંથી મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેતાં મહુધા તાલુકાના લોકમાં ખુશીનો માહોલ છે.

મહુધા કોંગ્રેસનો ગઢ કહેવાતુ

મહુધા વિધાનસભા ક્ષેત્રના પ્રથમ ધારાસભ્ય છે જેઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તરફથી જીત્યા હતા અને આજે 17 ઓક્ટોબર 2025ના રોજ, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મહુધા ક્ષેત્રના અગાઉના કોંગ્રેસી ધારાસભ્યો જેમ કે નટવરસિંહ ઠાકોર (2007, 2012) અને ઇન્દ્રજીતસિંહ પરમાર (2017) કોઈ મંત્રી નહોતા.

મહુધા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ 1975ની ચૂંટણીથી લઈને 2022ની ચૂંટણી સુધી ચાલ્યું હતું.  આ સમયગાળામાં કોંગ્રેસે 10 વાર જીત મેળવી હતી અને કુલ 47 વર્ષ સુધી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  મહુધા કોંગ્રેસનો ગઢ કહેવાતુ.  2022માં ભાજપાની જીત થયા પછી આ યુગનો અંત આવ્યો.

જાણો સંજયસિંહ મહિડા કોણ છે?

સંજયસિંહ મહિડા સમગ્ર ખેડા જીલ્લામાં સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય છે. તેઓ દિકરીઓના દર વર્ષે વિના મૂલ્યે સમૂહલગ્ન કરાવે છે. દરેક જરુરિયામંદ લોકોને સતત મદદ કરતાં રહે છે. કુદરતી આફતમાં પણ સતત મદદ કરતા આવ્યા છે. તેઓ તમામ 182 ધારાસભ્યોમાંથી માત્ર 1 માત્ર સ્વચ્છ છબી ધરાવે છે.

તેઓ કમળા ગામના વતની છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં મહુધા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી, જ્યાં તેમણે 91,900 મત મેળવ્યા અને કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમારને 25,689 મતોના તફાવતથી હરાવ્યા હતા. આ જીતથી મહુધા ક્ષેત્રમાં 30 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસના વર્ચસ્વને તોડવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો:

Gujarat politics: હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, રાજ્યના સૌથી યુવા DYCM

Gujarat politics: રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત, નવા મંત્રીઓની શપથવિધિ માટે માંગી અનુમતિ

PM Modi: ‘સ્વદેશીની વાતો કરતાં પહેલા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો’, સુપ્રિયા શ્રીનિતે મોદીના સંબોધન પર શું બોલ્યા?

મહિલાઓને ગુલામ બનાવવા લગ્નનો ઉપયોગ, ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તે આવું કેમ કહ્યું? | Justice SuryaKant

 

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 1 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 4 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 8 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 6 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 6 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 7 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી