Gujarat Politics: પહેલીવાર મહુધાના ધારાસભ્યને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન, સંજયસિંહ મહિડાએ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ

  • Gujarat
  • October 17, 2025
  • 0 Comments

Gujarat Politics: ગઈકાલે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયા બાદ આજે ગુજરાતમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં જૂના મંત્રીઓને પણ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો છે. ત્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી ખેડા જીલ્લાની મહુધા વિધાનસભા વર્ષ 2022માં ભાજપના હાથમાં આવી હતી. જ્યાં કમળા ગામના સંજયસિંહ મહિડા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે તેમને સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળતાં મહુધામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સંજયસિંહ મહિડાને સ્થાન મળતાં મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા બાદ બાદ આજે (17 ઓક્ટોબર) મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે ખેડા જીલ્લામાંથી મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેતાં મહુધા તાલુકાના લોકમાં ખુશીનો માહોલ છે.

મહુધા કોંગ્રેસનો ગઢ કહેવાતુ

મહુધા વિધાનસભા ક્ષેત્રના પ્રથમ ધારાસભ્ય છે જેઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તરફથી જીત્યા હતા અને આજે 17 ઓક્ટોબર 2025ના રોજ, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મહુધા ક્ષેત્રના અગાઉના કોંગ્રેસી ધારાસભ્યો જેમ કે નટવરસિંહ ઠાકોર (2007, 2012) અને ઇન્દ્રજીતસિંહ પરમાર (2017) કોઈ મંત્રી નહોતા.

મહુધા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ 1975ની ચૂંટણીથી લઈને 2022ની ચૂંટણી સુધી ચાલ્યું હતું.  આ સમયગાળામાં કોંગ્રેસે 10 વાર જીત મેળવી હતી અને કુલ 47 વર્ષ સુધી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  મહુધા કોંગ્રેસનો ગઢ કહેવાતુ.  2022માં ભાજપાની જીત થયા પછી આ યુગનો અંત આવ્યો.

જાણો સંજયસિંહ મહિડા કોણ છે?

સંજયસિંહ મહિડા સમગ્ર ખેડા જીલ્લામાં સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય છે. તેઓ દિકરીઓના દર વર્ષે વિના મૂલ્યે સમૂહલગ્ન કરાવે છે. દરેક જરુરિયામંદ લોકોને સતત મદદ કરતાં રહે છે. કુદરતી આફતમાં પણ સતત મદદ કરતા આવ્યા છે. તેઓ તમામ 182 ધારાસભ્યોમાંથી માત્ર 1 માત્ર સ્વચ્છ છબી ધરાવે છે.

તેઓ કમળા ગામના વતની છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં મહુધા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી, જ્યાં તેમણે 91,900 મત મેળવ્યા અને કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમારને 25,689 મતોના તફાવતથી હરાવ્યા હતા. આ જીતથી મહુધા ક્ષેત્રમાં 30 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસના વર્ચસ્વને તોડવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો:

Gujarat politics: હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, રાજ્યના સૌથી યુવા DYCM

Gujarat politics: રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત, નવા મંત્રીઓની શપથવિધિ માટે માંગી અનુમતિ

PM Modi: ‘સ્વદેશીની વાતો કરતાં પહેલા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો’, સુપ્રિયા શ્રીનિતે મોદીના સંબોધન પર શું બોલ્યા?

મહિલાઓને ગુલામ બનાવવા લગ્નનો ઉપયોગ, ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તે આવું કેમ કહ્યું? | Justice SuryaKant

 

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 2 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?