
●ખૌફનાક ઘટનાનું વીડિયો સાથેનું સચોટ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ!!
■ભાજપના રાજમાં ગુંડાઓ બેફામ! અંબાચ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે લડતા ખેડૂતને જીવતો સળગાવવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત ; જનતામાં ભયની લાગણી!
■ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનાર આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એક તરફ ભરતભાઇ જીવતા સળગી રહયા હતા અને બીજી તરફ તે ઘટનાનું શૂટિંગ થતું હતું અને ‘તેણે જાતે કર્યું’ તેવું કહે છે તો બીજો કહે છે કે પણ ગામ વાળાએ જોયું છે!!
આ ગાડીમાં ‘કમળ’નું ચિન્હ લટકતું જોવા મળે છે!!
Anklav: ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવા જતાં ગામના સરપંચ અને તેના પરિવારે ભરત પઢીયાર નામના ખેડૂતને જીવતો સળગાવી દેવાના ગંભીર આરોપ લાગ્યા છે,ભરત ભાઈએ પોતે આ નિવેદન હોસ્પિટલના બિછાનેથી આપ્યું છે.
પોતાને ભર બજારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થયો હોવાનું જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પીડીત ભરત પઢિયારે જણાવ્યું હતું.
આ કમકમાટીભર્યા દ્રશ્યો એક ગાડીમાં કેદ થઈ રહયા હતા તે ગાડીમાં ભાજપના ચિન્હ ‘કમળ’ લટકતું જોવા મળ્યું હતું આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારે મીડિયા કર્મીઓને પણ પોતાને સરપંચ પરિવારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાનું નિવેદન આપ્યું છે.
પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, તેમના ગામ અંબાવ ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ કરાયા બાદ પણ કોઈ નિવેડો નહિ આવતા પ્રેસમાં આ અંગે ઇન્ટરવ્યુ આપતા જ સરપંચ પરિવાર ઉશ્કેરાયો અને તેમને જીવતા દીવાસળી ચાંપી દીધી.
આ સમયે તેઓ લોટ દળાવવા ચક્કી ઉપર ગયા હતા ત્યારે ગામના સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા અને પોતાને માર મારતા મારતા ગામની વચ્ચે લઈ જવાયા જ્યાં કોકિલાબેને તેમને પકડી રાખ્યા અને નિલેશભાઈએ તેમની ઉપર પેટ્રોલ છાંટ્યું જ્યારે રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દઈ આગ લગાડીને તેઓ ભાગી ગયા.
દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરાની સયાજી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ભરત પઢીયારે હોસ્પિટલના બિછાનેથી આપેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચકચાર મચી ગઇ છે. આ ગંભીર પ્રકારના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગઈ છે અને ભાજપના ચિન્હ વાળી ગાડીઓ ઠેરઠેર જોવા મળી રહી છે બધે જાણે ગભરાટનો માહોલ છે.આ મામલે The Gujarat Report ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વર્તમાન સ્થિતિ ઉપર જોરદાર વિશ્લેષણ કર્યું છે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









