Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

Harsukh Patel passes away: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મોટા ફિલ્મ ફિલ્મ ડિરેક્ટર ગુમાવ્યા છે. પ્રખ્યાત ગુજરાતી ફિહરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નું 29 જૂન, 2025ના રોજ હાર્ટ એટેકને કારણે કરુણ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરસુખ પટેલે પોતાની કલાત્મક દિગ્દર્શન અને નિર્માણ કુશળતાથી ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપી હતી, ખાસ કરીને ખ્યાતનામ નાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટારનો દરજ્જો અપાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

વિક્રમ ઠાકોરને હરસુખ પટેલે સુપરસ્ટાર બનાવ્યો

હરસુખ પટેલ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક, નિર્માતા અને લેખક, એમના વિક્રમ ઠાકોર સાથેના સહયોગે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપી હતી. વિક્રમ ઠાકોર, જેઓ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઓળખાય છે, તેમને આ દરજ્જો અપાવવામાં હરસુખ પટેલનું યોગદાન અગ્રણી રહ્યું છે. હરસુખ પટેલે વિક્રમ ઠાકોર સાથે ઘણી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું, જેમણે ગુજરાતી દર્શકોના દિલ જીત્યા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું.

 મોટા આમ થોડી જતુ રહેવાય: વિક્રમ ઠાકોર

હરસુખ પટેલના સહકારથી વિક્રમ ઠાકોર સુપર સ્ટાર બન્યા હતા. વિક્રમ ઠાકોરે હરસુખ પટેલના અવસાન સમાચાર સાંભળતાં ખૂબ દુઃખી થયા છે. તેમણે ફેબસબૂક પર લખ્યું કે મારા માથે આભ તૂટી પડ્યું છે. મોટા આમ થોડી જતુ રહેવાય. યાર મને ફિલ્મ લાઇનનો રસ્તો બતાવનાર મારી પ્રથમ ફિલ્મ ‘એક વાર પિયુ ને મળવા આવજે’ ના નિર્માતા, નિર્દેશક અને મારી ગણી બધી સુપર હીટ ફિલ્મો બનાવી, મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ બની ડગલે ને પગલે મને સલાહ આપી, સાચી રાહ બતાવનાર મારા ભાઈ હરસુખ ભાઈ જેમને હું મોટા તરીકે હંમેશા બોલાવતો. આજે આપડી વચ્ચે નથી રહ્યા હું માની શકતો નથી. આ લખતા મારા હાથ કંપી રહ્યા છે મોટા આપની યાદો અને આપની વાતો આપડા સંબંધો હંમેશા જીવતા રહેશે ભગવાન આપના પવિત્ર આ આત્માને શાંતિ આપે તેવ દિલથી પ્રાર્થના.

હરસુખ પટેલનું જીવન અને શિક્ષણ

THE GUJRAT REPORT

હરસુખભાઈ પટેલ(Harsukh Patel)નો જન્મ જૂનાગઢ જિલ્લાના નાકારા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાકારા ગામમાંથી અને માધ્યમિક શિક્ષણ કેશોદની પટેલ વિદ્યામંદિરમાંથી પૂર્ણ કર્યું. તેમણે વલ્લભવિદ્યાનગરની વી.પી. સઈજીસ કોસ, એસ.પી. યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ઉપરાંત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીમાંથી એમ.એસસી (એપ્લાઇડ કેમેસ્ટ્રી સમકક્ષ બી.ઈ. કેમિકલ) ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે પાર્ટ-ટાઇમ ધોરણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી ડી.ટી.પી. (ટેક્સેશન લોમાં ડિપ્લોમા) પણ મેળવ્યું હતું.

ફિલ્મ નિર્માણમાં યોગદાન

હરસુખ પટેલનો કૌટુંબિક વ્યવસાય ફિલ્મ નિર્માણ અને વિતરણનો હતો, જે ‘જી.એન. ફિલ્મ્સ’ના નામે ઓળખાતો હતો. આ વ્યવસાયના સ્થાપક તેમના પિતા ગોવિંદભાઈ નાથાલાલ પટેલ (ધડુક) હતા, જેઓ માત્ર નિર્માતા જ નહીં, પરંતુ “સાસરીયું” અને “તારો મલક મારે જોવો છે” જેવી સફળ ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યા હતા. હરસુખ પટેલે આ પરંપરાને આગળ ધપાવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવું નામ આપ્યું.

તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘એકવાર પીયુને મળવા આવજે’, ‘હાલ ભેરુ ગામડે’, ‘કોણ પારકા કોણ પોતાના’ ઉપરાંત અન્ય ઘણી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ ગુજરાતી દર્શકોના દિલ જીત્યા અને ગુજરાતી સિનેમાને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિક્રમ ઠાકોર સાથેના તેમના સહયોગે ગુજરાતી ફિલ્મોને નવી ઓળખ આપી, અને તેમની ફિલ્મો ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓને સુંદર રીતે રજૂ કરતી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અસર

હરસુખ પટેલના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમની ફિલ્મોએ ગુજરાતી સિનેમાને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. સોશિયલ મિડિયામાં પોસ્ટ્સમાં પણ તેમના અવસાનને “ગુજરાતી ફિલ્મ જગત માટે આઘાતજનક” ગણાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે તેમનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ હતું.

 

આ પણ વાંચો:

 

Related Posts

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 9 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 6 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 16 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 20 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ