Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

Harsukh Patel passes away: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મોટા ફિલ્મ ફિલ્મ ડિરેક્ટર ગુમાવ્યા છે. પ્રખ્યાત ગુજરાતી ફિહરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નું 29 જૂન, 2025ના રોજ હાર્ટ એટેકને કારણે કરુણ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરસુખ પટેલે પોતાની કલાત્મક દિગ્દર્શન અને નિર્માણ કુશળતાથી ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપી હતી, ખાસ કરીને ખ્યાતનામ નાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટારનો દરજ્જો અપાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

વિક્રમ ઠાકોરને હરસુખ પટેલે સુપરસ્ટાર બનાવ્યો

હરસુખ પટેલ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક, નિર્માતા અને લેખક, એમના વિક્રમ ઠાકોર સાથેના સહયોગે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપી હતી. વિક્રમ ઠાકોર, જેઓ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઓળખાય છે, તેમને આ દરજ્જો અપાવવામાં હરસુખ પટેલનું યોગદાન અગ્રણી રહ્યું છે. હરસુખ પટેલે વિક્રમ ઠાકોર સાથે ઘણી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું, જેમણે ગુજરાતી દર્શકોના દિલ જીત્યા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું.

 મોટા આમ થોડી જતુ રહેવાય: વિક્રમ ઠાકોર

હરસુખ પટેલના સહકારથી વિક્રમ ઠાકોર સુપર સ્ટાર બન્યા હતા. વિક્રમ ઠાકોરે હરસુખ પટેલના અવસાન સમાચાર સાંભળતાં ખૂબ દુઃખી થયા છે. તેમણે ફેબસબૂક પર લખ્યું કે મારા માથે આભ તૂટી પડ્યું છે. મોટા આમ થોડી જતુ રહેવાય. યાર મને ફિલ્મ લાઇનનો રસ્તો બતાવનાર મારી પ્રથમ ફિલ્મ ‘એક વાર પિયુ ને મળવા આવજે’ ના નિર્માતા, નિર્દેશક અને મારી ગણી બધી સુપર હીટ ફિલ્મો બનાવી, મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ બની ડગલે ને પગલે મને સલાહ આપી, સાચી રાહ બતાવનાર મારા ભાઈ હરસુખ ભાઈ જેમને હું મોટા તરીકે હંમેશા બોલાવતો. આજે આપડી વચ્ચે નથી રહ્યા હું માની શકતો નથી. આ લખતા મારા હાથ કંપી રહ્યા છે મોટા આપની યાદો અને આપની વાતો આપડા સંબંધો હંમેશા જીવતા રહેશે ભગવાન આપના પવિત્ર આ આત્માને શાંતિ આપે તેવ દિલથી પ્રાર્થના.

હરસુખ પટેલનું જીવન અને શિક્ષણ

THE GUJRAT REPORT

હરસુખભાઈ પટેલ(Harsukh Patel)નો જન્મ જૂનાગઢ જિલ્લાના નાકારા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાકારા ગામમાંથી અને માધ્યમિક શિક્ષણ કેશોદની પટેલ વિદ્યામંદિરમાંથી પૂર્ણ કર્યું. તેમણે વલ્લભવિદ્યાનગરની વી.પી. સઈજીસ કોસ, એસ.પી. યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ઉપરાંત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીમાંથી એમ.એસસી (એપ્લાઇડ કેમેસ્ટ્રી સમકક્ષ બી.ઈ. કેમિકલ) ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે પાર્ટ-ટાઇમ ધોરણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી ડી.ટી.પી. (ટેક્સેશન લોમાં ડિપ્લોમા) પણ મેળવ્યું હતું.

ફિલ્મ નિર્માણમાં યોગદાન

હરસુખ પટેલનો કૌટુંબિક વ્યવસાય ફિલ્મ નિર્માણ અને વિતરણનો હતો, જે ‘જી.એન. ફિલ્મ્સ’ના નામે ઓળખાતો હતો. આ વ્યવસાયના સ્થાપક તેમના પિતા ગોવિંદભાઈ નાથાલાલ પટેલ (ધડુક) હતા, જેઓ માત્ર નિર્માતા જ નહીં, પરંતુ “સાસરીયું” અને “તારો મલક મારે જોવો છે” જેવી સફળ ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યા હતા. હરસુખ પટેલે આ પરંપરાને આગળ ધપાવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવું નામ આપ્યું.

તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘એકવાર પીયુને મળવા આવજે’, ‘હાલ ભેરુ ગામડે’, ‘કોણ પારકા કોણ પોતાના’ ઉપરાંત અન્ય ઘણી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ ગુજરાતી દર્શકોના દિલ જીત્યા અને ગુજરાતી સિનેમાને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિક્રમ ઠાકોર સાથેના તેમના સહયોગે ગુજરાતી ફિલ્મોને નવી ઓળખ આપી, અને તેમની ફિલ્મો ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓને સુંદર રીતે રજૂ કરતી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અસર

હરસુખ પટેલના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમની ફિલ્મોએ ગુજરાતી સિનેમાને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. સોશિયલ મિડિયામાં પોસ્ટ્સમાં પણ તેમના અવસાનને “ગુજરાતી ફિલ્મ જગત માટે આઘાતજનક” ગણાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે તેમનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ હતું.

 

આ પણ વાંચો:

 

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 7 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?