રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને પુન:જીવિત કરવા આવ્યા છે કે ગુજરાતને બેઠૂં કરવા?

  • રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને પુન:જીવિત કરવા આવ્યા છે કે ગુજરાતને બેઠૂં કરવા?

પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું- મુકુલ વાસનિક જી, શક્તિસિંહ ગોહિલ જી, અમિત ચાવડા જી, જગદીશ ઠાકોર જી, ભરત ભાઈ સોલંકી જી, સિદ્ધાર્થ પટેલ જી, શૈલેષ પરમાર જી, હિંમત સિંહ જી, મંચ પર કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, અમારા પ્રિય કાર્યકરો, ભાઈઓ અને બહેનો, ગુજરાતના લોકો, તમારું અહીં ખૂબ ખૂબ સ્વાગત છે.

ગઈકાલે હું અહીં આવ્યો અને વરિષ્ઠ નેતાઓ, જિલ્લા પ્રમુખ અને બ્લોક પ્રમુખને મળ્યો. મારો ઉદ્દેશ્ય તમારા હૃદયમાં શું છે, તમારા હૃદયમાં રહેલી પીડાને સમજવાનો અને તેને સાંભળવાનો હતો. સંગઠન વિશે, ગુજરાતના રાજકારણ વિશે, સરકારના કામ કરવાની રીત વિશે, તેઓ કેવી રીતે ધમકી આપે છે અને ધમકાવતા હોય છે તે વિશે ઘણી બધી બાબતો સામે આવી, અને હું તમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને મારા મનમાં એક પ્રશ્ન આવ્યો કે ગુજરાતમાં મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? જો હું અહીં આવ્યો છું, તો હું ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, હું ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના ખેડૂતો માટે, નાના વેપારીઓ માટે, મારી બહેનો માટે આવ્યો છું.

તો મેં મારી જાતને પૂછ્યું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? હવે લગભગ 30 વર્ષ થઈ ગયા છે, અમે અહીં સરકારમાં નથી અને જ્યારે પણ હું આવું છું, ત્યારે ચર્ચા 2017ની ચૂંટણીઓ વિશે થાય છે – 2012, 2007, 2022, 2027, પણ પ્રશ્ન ચૂંટણીઓનો નથી. જ્યાં સુધી આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતના લોકો આપણને ચૂંટણી જીતવા નહીં દે અને હકીકતમાં આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ ન કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકોને આપણને સરકાર આપવા માટે પણ ન કહેવું જોઈએ. જે દિવસે આપણે આપણી જવાબદારી પૂરી કરીશું, હું તમને ખાતરી આપું છું કે ગુજરાતના બધા લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનો ટેકો આપશે.

જ્યારે કોંગ્રેસ પાર્ટીને અંગ્રેજોનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે બધી જગ્યાએ નેતૃત્વ શોધવામાં આવી રહ્યો હતો. અંગ્રેજ આપણી સામે હતા, કોંગ્રેસ પાર્ટી હિન્દુસ્તાનની જનતાને રિપ્રેજેન્ટ કરતી હતી, પરંતુ અમારો કોઈ લીડર નહતો. લીડર ક્યાંથી આવ્યો- લીડર સાઉથ આફ્રિકાથી આવ્યો. કોણ હતું- મહાત્મા ગાંધી હતા અને સાઉથ આફ્રિકાએ આપ્યા નથી, ગુજરાતે કોંગ્રેસ પાર્ટીને ઓરિજનલ નેતૃત્વ આપ્યું અને તે નેતૃત્વએ આપણને વિચારવાની રીત, લડવાની રીત, જીવવાની પદ્ધતિ આપી હતી. ગાંધીજી વગર કોંગ્રેસ પાર્ટી દેશને આઝાદી અપાવી શકતી નહીં અને ગુજરાત વગર ગાંધીજી નહોત. એકદમ સીધી વાત છે. તેમના આવ્યા પછી આપણને રસ્તો દેખાયો, આપણા સંગઠનને રસ્તો દેખાયો, હિન્દુસ્તાનને રસ્તો દેખાયો, તે રસ્તો ગુજરાતે રસ્તો બતાવ્યો છે અને તેમના એકદમ પાછળ ગુજરાતે આપણને સરદાર પટેલ આપ્યા.

તો કોંગ્રેસના સૌથી મોટા પાંચ નેતા હતા, તેમાં બે ગુજરાતે આપ્યા છે. ગુજરાત આપણા પાસે તે જ માંગી રહ્યું છે, ગુજરાત ફસાયેલું છે, ગુજરાતને રસ્તો દેખાઈ રહ્યો નથી, ગુજરાતને રસ્તો જોવા માંગે છે અને આગળ વધવા માંગે છે અને કોંગ્રેસ પાર્ટી.. હું કોંગ્રેસ પાર્ટીનો મેમ્બર છું અને હું સ્ટેજ પરથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવી શકી રહી નથી.

જો આપણે ગુજરાતની જનતાની રિસ્પેક્ટ કરીએ છીએ તો આપણે સ્પષ્ટ કહેવું પડશે કે આજ સુધી જે પાછલા 15-20-30 વર્ષ જે ગુજરાતની એક્સપેક્ટેશન અમારાથી હતી, મારાથી હતી, અમારા પીસીસી પ્રેસિડેન્ટ પાસેથી હતી, અમારા ઈન્ચાર્જ પાસે હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. પહેલા તે બોલવું પડશે, જો આપણે તે બોલીશું નહીં તો આપણો સંબંધ ગુજરાતની જનતા સાથે ક્યારેય બનશે નહીં અને હું અહી ગુજરાતના યુવાઓ સાથે સંબંધ બનાવવા આવ્યો છું.

ગુજરાતનું નેતૃત્વ, ગુજરાતના કાર્યકરો, ગુજરાતના જિલ્લા પ્રમુખો, બ્લોક પ્રમુખો, તેમાં બે પ્રકારના લોકો હોય છે. એક વિભાજનકારી છે. અત્યારે અહીં બધા લોકો બેઠા છે, પણ તેઓ બે પ્રકારના છે. એક એવો છે જે જનતાની સાથે ઉભો છે, જે જનતા માટે લડે છે, જે જનતાનો આદર કરે છે અને જેના હૃદયમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે અને બીજો એવા છે જે લોકોથી કપાયેલો છે, દૂર બેઠા છે, લોકોનો આદર કરતા નથી અને તેમાંથી અડધા લોકો ભાજપ સાથે હાથ મિલાવી ચૂક્યા છે. જ્યાં સુધી આપણે આ બંને વચ્ચે સ્પષ્ટ રીતે તફાવત ન કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ કરી શકશે નહીં. ગુજરાતના લોકો, ગુજરાતના વેપારીઓ, ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મજૂરો, ગુજરાતના વિદ્યાર્થીઓ વિરોધ ઇચ્છે છે, તેઓ વિકલ્પ ઇચ્છે છે, તેઓ બી ટીમ ઇચ્છતા નથી.

તો મારી જવાબદારી આ બે જૂથોને ફિલ્ટર કરવાની છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કોઈ કમી નથી. જિલ્લા સ્તરના, બ્લોક સ્તરના, વરિષ્ઠ સ્તરના નેતાઓ છે, તેઓ સિંહ છે, પણ તેમની પીઠ પર સાંકળો બાંધેલી છે અને તે બધા સિંહની જેમ બંધાયેલા છે. એકવાર હું એક મીટિંગ કરી રહ્યો હતો, ત્યારે કદાચ મધ્યપ્રદેશનું એક પ્રતિનિધિમંડળ ત્યાં હતું. કાર્યકર ઊભો થયો અને બોલ્યો, રાહુલજી, કૃપા કરીને એક કામ કરો. મેં કહ્યું શું? તે કહે છે કે ઘોડા બે પ્રકારના હોય છે. એક રેસ માટે, એક લગ્ન માટે છે. કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નમાં મૂકે છે અને સરઘસના ઘોડાને રેસમાં મૂકી દે છે.

ગુજરાતની જનતા જોઈ રહી છે અને કહી રહી છે કે ભાઈ, કોંગ્રેસ પાર્ટીએ રેસમાં વરઘોડાનો ઘોડો નાંખી દીધો. તો આપણે સંબંધ બનાવવા છે, તો આપણે બે કામ કરવા પડશે. પ્રથમ તો- જે આ બે ગ્રુપ્સ છે, તેમને અલગ કરવા પડશે. જો આપણે સખ્ત કાર્યવાહી કરવી પડી અને 10, 15, 20, 30 લોકોને કાઢવા પડ્યા તો નિકાળી દેવા જોઈએ. બીજેપી માટે અંદરથી કામ કરી રહ્યા છે, ચલો જઈને જોઈએ. બહારથી કામ કરો. તમારી ત્યાં જગ્યા બનશે નહીં, તમને બહાર ફેંકી દેવામાં આવશે.

આ પણ વાંચો- રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ જવાની હવામાન વિભાગે કરી આગાહી; લૂ-હિટવેવની ચેતવણી

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 4 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 9 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 12 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 9 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!