રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને પુન:જીવિત કરવા આવ્યા છે કે ગુજરાતને બેઠૂં કરવા?

  • રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને પુન:જીવિત કરવા આવ્યા છે કે ગુજરાતને બેઠૂં કરવા?

પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું- મુકુલ વાસનિક જી, શક્તિસિંહ ગોહિલ જી, અમિત ચાવડા જી, જગદીશ ઠાકોર જી, ભરત ભાઈ સોલંકી જી, સિદ્ધાર્થ પટેલ જી, શૈલેષ પરમાર જી, હિંમત સિંહ જી, મંચ પર કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, અમારા પ્રિય કાર્યકરો, ભાઈઓ અને બહેનો, ગુજરાતના લોકો, તમારું અહીં ખૂબ ખૂબ સ્વાગત છે.

ગઈકાલે હું અહીં આવ્યો અને વરિષ્ઠ નેતાઓ, જિલ્લા પ્રમુખ અને બ્લોક પ્રમુખને મળ્યો. મારો ઉદ્દેશ્ય તમારા હૃદયમાં શું છે, તમારા હૃદયમાં રહેલી પીડાને સમજવાનો અને તેને સાંભળવાનો હતો. સંગઠન વિશે, ગુજરાતના રાજકારણ વિશે, સરકારના કામ કરવાની રીત વિશે, તેઓ કેવી રીતે ધમકી આપે છે અને ધમકાવતા હોય છે તે વિશે ઘણી બધી બાબતો સામે આવી, અને હું તમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને મારા મનમાં એક પ્રશ્ન આવ્યો કે ગુજરાતમાં મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? જો હું અહીં આવ્યો છું, તો હું ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, હું ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના ખેડૂતો માટે, નાના વેપારીઓ માટે, મારી બહેનો માટે આવ્યો છું.

તો મેં મારી જાતને પૂછ્યું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? હવે લગભગ 30 વર્ષ થઈ ગયા છે, અમે અહીં સરકારમાં નથી અને જ્યારે પણ હું આવું છું, ત્યારે ચર્ચા 2017ની ચૂંટણીઓ વિશે થાય છે – 2012, 2007, 2022, 2027, પણ પ્રશ્ન ચૂંટણીઓનો નથી. જ્યાં સુધી આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતના લોકો આપણને ચૂંટણી જીતવા નહીં દે અને હકીકતમાં આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ ન કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકોને આપણને સરકાર આપવા માટે પણ ન કહેવું જોઈએ. જે દિવસે આપણે આપણી જવાબદારી પૂરી કરીશું, હું તમને ખાતરી આપું છું કે ગુજરાતના બધા લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનો ટેકો આપશે.

જ્યારે કોંગ્રેસ પાર્ટીને અંગ્રેજોનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે બધી જગ્યાએ નેતૃત્વ શોધવામાં આવી રહ્યો હતો. અંગ્રેજ આપણી સામે હતા, કોંગ્રેસ પાર્ટી હિન્દુસ્તાનની જનતાને રિપ્રેજેન્ટ કરતી હતી, પરંતુ અમારો કોઈ લીડર નહતો. લીડર ક્યાંથી આવ્યો- લીડર સાઉથ આફ્રિકાથી આવ્યો. કોણ હતું- મહાત્મા ગાંધી હતા અને સાઉથ આફ્રિકાએ આપ્યા નથી, ગુજરાતે કોંગ્રેસ પાર્ટીને ઓરિજનલ નેતૃત્વ આપ્યું અને તે નેતૃત્વએ આપણને વિચારવાની રીત, લડવાની રીત, જીવવાની પદ્ધતિ આપી હતી. ગાંધીજી વગર કોંગ્રેસ પાર્ટી દેશને આઝાદી અપાવી શકતી નહીં અને ગુજરાત વગર ગાંધીજી નહોત. એકદમ સીધી વાત છે. તેમના આવ્યા પછી આપણને રસ્તો દેખાયો, આપણા સંગઠનને રસ્તો દેખાયો, હિન્દુસ્તાનને રસ્તો દેખાયો, તે રસ્તો ગુજરાતે રસ્તો બતાવ્યો છે અને તેમના એકદમ પાછળ ગુજરાતે આપણને સરદાર પટેલ આપ્યા.

તો કોંગ્રેસના સૌથી મોટા પાંચ નેતા હતા, તેમાં બે ગુજરાતે આપ્યા છે. ગુજરાત આપણા પાસે તે જ માંગી રહ્યું છે, ગુજરાત ફસાયેલું છે, ગુજરાતને રસ્તો દેખાઈ રહ્યો નથી, ગુજરાતને રસ્તો જોવા માંગે છે અને આગળ વધવા માંગે છે અને કોંગ્રેસ પાર્ટી.. હું કોંગ્રેસ પાર્ટીનો મેમ્બર છું અને હું સ્ટેજ પરથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવી શકી રહી નથી.

જો આપણે ગુજરાતની જનતાની રિસ્પેક્ટ કરીએ છીએ તો આપણે સ્પષ્ટ કહેવું પડશે કે આજ સુધી જે પાછલા 15-20-30 વર્ષ જે ગુજરાતની એક્સપેક્ટેશન અમારાથી હતી, મારાથી હતી, અમારા પીસીસી પ્રેસિડેન્ટ પાસેથી હતી, અમારા ઈન્ચાર્જ પાસે હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. પહેલા તે બોલવું પડશે, જો આપણે તે બોલીશું નહીં તો આપણો સંબંધ ગુજરાતની જનતા સાથે ક્યારેય બનશે નહીં અને હું અહી ગુજરાતના યુવાઓ સાથે સંબંધ બનાવવા આવ્યો છું.

ગુજરાતનું નેતૃત્વ, ગુજરાતના કાર્યકરો, ગુજરાતના જિલ્લા પ્રમુખો, બ્લોક પ્રમુખો, તેમાં બે પ્રકારના લોકો હોય છે. એક વિભાજનકારી છે. અત્યારે અહીં બધા લોકો બેઠા છે, પણ તેઓ બે પ્રકારના છે. એક એવો છે જે જનતાની સાથે ઉભો છે, જે જનતા માટે લડે છે, જે જનતાનો આદર કરે છે અને જેના હૃદયમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે અને બીજો એવા છે જે લોકોથી કપાયેલો છે, દૂર બેઠા છે, લોકોનો આદર કરતા નથી અને તેમાંથી અડધા લોકો ભાજપ સાથે હાથ મિલાવી ચૂક્યા છે. જ્યાં સુધી આપણે આ બંને વચ્ચે સ્પષ્ટ રીતે તફાવત ન કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ કરી શકશે નહીં. ગુજરાતના લોકો, ગુજરાતના વેપારીઓ, ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મજૂરો, ગુજરાતના વિદ્યાર્થીઓ વિરોધ ઇચ્છે છે, તેઓ વિકલ્પ ઇચ્છે છે, તેઓ બી ટીમ ઇચ્છતા નથી.

તો મારી જવાબદારી આ બે જૂથોને ફિલ્ટર કરવાની છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કોઈ કમી નથી. જિલ્લા સ્તરના, બ્લોક સ્તરના, વરિષ્ઠ સ્તરના નેતાઓ છે, તેઓ સિંહ છે, પણ તેમની પીઠ પર સાંકળો બાંધેલી છે અને તે બધા સિંહની જેમ બંધાયેલા છે. એકવાર હું એક મીટિંગ કરી રહ્યો હતો, ત્યારે કદાચ મધ્યપ્રદેશનું એક પ્રતિનિધિમંડળ ત્યાં હતું. કાર્યકર ઊભો થયો અને બોલ્યો, રાહુલજી, કૃપા કરીને એક કામ કરો. મેં કહ્યું શું? તે કહે છે કે ઘોડા બે પ્રકારના હોય છે. એક રેસ માટે, એક લગ્ન માટે છે. કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નમાં મૂકે છે અને સરઘસના ઘોડાને રેસમાં મૂકી દે છે.

ગુજરાતની જનતા જોઈ રહી છે અને કહી રહી છે કે ભાઈ, કોંગ્રેસ પાર્ટીએ રેસમાં વરઘોડાનો ઘોડો નાંખી દીધો. તો આપણે સંબંધ બનાવવા છે, તો આપણે બે કામ કરવા પડશે. પ્રથમ તો- જે આ બે ગ્રુપ્સ છે, તેમને અલગ કરવા પડશે. જો આપણે સખ્ત કાર્યવાહી કરવી પડી અને 10, 15, 20, 30 લોકોને કાઢવા પડ્યા તો નિકાળી દેવા જોઈએ. બીજેપી માટે અંદરથી કામ કરી રહ્યા છે, ચલો જઈને જોઈએ. બહારથી કામ કરો. તમારી ત્યાં જગ્યા બનશે નહીં, તમને બહાર ફેંકી દેવામાં આવશે.

આ પણ વાંચો- રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ જવાની હવામાન વિભાગે કરી આગાહી; લૂ-હિટવેવની ચેતવણી

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત