
નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 70 લોકોના મોત થયા છે. કર્મચારીઓ કલાકોની મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા. ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાવક ફેલાઈ હતી કે જાણે ધૂમાડાએ આકાશને ઢાંકી દીધું હોય. ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં એક પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 70 લોકો મોત થયા છે.
આ પણ વાંચોઃ મહાકુંભ મેળા વિસ્તારમાંથી રેતીમાં દાટેલું નવજાત મળ્યું
દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ આગની માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇજર પ્રાંતના સુલેજા વિસ્તાર નજીક ગઈકાલે શનિવારે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. જ્યારે કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટ્રકમાં ગેસોલિન ટ્રાન્સફર કરી રહ્યા હતા. ગેસ ટ્રાન્સફર દરમિયાન લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
આસપાસ ઘણા બધા લોકો ઉભા હતા
જે સમયે આ ઘટના બની તે સમયે નજીકમાં મોટી સંખ્યામાં મજૂરો અને અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા. આ કારણે મોટાભાગના લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ઇંધણ ટ્રાન્સફરને કારણે થયો છે. જેના પરિણામે પેટ્રોલ ટ્રાન્સફર કરનારાઓ અને નજીકના લોકો મોતને ભેટ્યા છે. ઇસાએ કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે.
આ પણ વાંચોઃ સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!