રશિયન સેનામાં ભરતી થયેલા 12 ભારતીયોના મોત, 16 ગુમ

  • World
  • January 18, 2025
  • 2 Comments

રશિયા-યુક્રેન યુદ્ધમાં કેરળના ત્રિશૂરના નાગરિક 32 વર્ષિય બિનીલ બાબુના મૃત્યુ થયું છે. આ અંગે રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મંત્રાલયે પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ખાતરી આપી કે ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેથી મૃતક ભારતીયોના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત મોકલી શકાય. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 16 ગુમ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “બિનીલ બાબુનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેથી તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત મોકલી શકાય.” ઘાયલ થયેલા બીજા વ્યક્તિની મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. તેમની સારવાર પૂર્ણ કર્યા પછી તેઓ પણ ટૂંક સમયમાં ભારત પાછા ફરે તેવી અપેક્ષા છે. 17 જાન્યુઆરી સુધી 126 નાગરિકો (રશિયન સેનામાં સેવા આપતા ભારતીય નાગરિકો) નોંધાયા છે. આ 126 કેસોમાંથી 96 લોકો ભારત પાછા ફર્યા છે, તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી રજા આપવામાં આવી છે.

12 ભારતીયોએ જીવ ગુમાવ્યા

રણધીર જયસ્વાલે કહ્યું, “રશિયન સેનામાં 18 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 16 ગુમ છે. જ્યારે રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે.” વધુમાં જણાવ્યું હતું કે, “અમને રશિયન સેનામાં સેવા આપતા કુલ 126 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 96 નાગરિકો ભારત પરત ફર્યા છે. તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી છૂટા કરવામાં આવ્યા છે. 18 ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધમાં છે. આમાંથી 16 વ્યક્તિઓનો કોઈ પત્તો લાગ્યો નથી. તેમને રશિયન અધિકારીઓ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ ARAVALLI: સોડા પીતા પહેલા જ મરેલો મકડો નીકળ્યો, ગ્રાહકે શું કરી માંગ?

Related Posts

Ganga Water Treaty: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનનું ભારતને અલ્ટીમેટમ, ‘ગંગા નદીના પાણીની વહેંચણી પર જ નક્કી થશે ભવિષ્યના સંબંધો’
  • May 17, 2026

Ganga Water Treaty: પડોશી દેશ બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સરકારે ભારત સાથેના રાજદ્વારી સંબંધોને લઈને એક અત્યંત આક્રમક અને આકરો વલણ અપનાવ્યો છે. શનિવારે ઐતિહાસિક…

Continue reading
Donald Trump China Visit: ચીન પ્રવાસ વચ્ચે ટ્રમ્પ પર વધ્યું દબાણ, ઈરાન મુદ્દે રશિયાએ ભારતને ગણાવ્યું શ્રેષ્ઠ મધ્યસ્થ
  • May 16, 2026

Donald Trump China Visit: પશ્ચિમ એશિયામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એક પછી એક વ્યુહાત્મક ભૂલોના કારણે ઈરાનની સામે નબળા પડતા દેખાઈ રહ્યા છે. ચારેય બાજુથી ઘેરાયા પછી ટ્રમ્પ પ્રશાસન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET paper leak પર કોંગ્રેસનો કેન્દ્ર પર પ્રહાર, પવન ખેડાનો કટાક્ષ- ‘વોટ્સએપ યુનિવર્સિટી’ હવે ડોક્ટરો પણ તૈયાર કરશે?

  • May 18, 2026
  • 4 views
NEET paper leak પર કોંગ્રેસનો કેન્દ્ર પર પ્રહાર, પવન ખેડાનો કટાક્ષ- ‘વોટ્સએપ યુનિવર્સિટી’ હવે ડોક્ટરો પણ તૈયાર કરશે?

NEET UG 2026 paper leak: નીટ પેપર લીક કૌભાંડમાં NTAની મહિલા એક્સપર્ટ પ્રોફેસર મનીષા માંઢરેની ધરપકડ, બોટની-ઝૂલોજી પ્રશ્નપત્ર સુધી હતી સીધી પહોંચ

  • May 18, 2026
  • 6 views
NEET UG 2026 paper leak: નીટ પેપર લીક કૌભાંડમાં NTAની મહિલા એક્સપર્ટ પ્રોફેસર મનીષા માંઢરેની ધરપકડ, બોટની-ઝૂલોજી પ્રશ્નપત્ર સુધી હતી સીધી પહોંચ

Mundra Port Captagon Drugs Seized: દેશમાં પહેલીવાર પકડાયું ખતરનાક ‘જેહાદી ડ્રગ્સ’, મુંદ્રા પોર્ટ પર ૧૮૨ કરોડના કેપ્ટાગોન પાવડર સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ!

  • May 18, 2026
  • 12 views
Mundra Port Captagon Drugs Seized: દેશમાં પહેલીવાર પકડાયું ખતરનાક ‘જેહાદી ડ્રગ્સ’, મુંદ્રા પોર્ટ પર ૧૮૨ કરોડના કેપ્ટાગોન પાવડર સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ!

Priyanka Chaturvedi: NEET પેપર લીક વિવાદમાં પ્રિયંકા ચતુર્વેદીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને ગણાવી ‘સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા’

  • May 17, 2026
  • 8 views
Priyanka Chaturvedi: NEET પેપર લીક વિવાદમાં પ્રિયંકા ચતુર્વેદીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને ગણાવી ‘સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા’

Ganga Water Treaty: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનનું ભારતને અલ્ટીમેટમ, ‘ગંગા નદીના પાણીની વહેંચણી પર જ નક્કી થશે ભવિષ્યના સંબંધો’

  • May 17, 2026
  • 9 views
Ganga Water Treaty: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનનું ભારતને અલ્ટીમેટમ, ‘ગંગા નદીના પાણીની વહેંચણી પર જ નક્કી થશે ભવિષ્યના સંબંધો’

Gujarat bulldozer action: આને કહેવાય અમૃતકાળ! GUJARAT માં 12 વર્ષમાં 5 લાખ મકાનો ધ્વસ્ત કરાયા

  • May 17, 2026
  • 15 views
Gujarat bulldozer action: આને કહેવાય અમૃતકાળ! GUJARAT માં 12 વર્ષમાં 5 લાખ મકાનો ધ્વસ્ત કરાયા