
- ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીમાં ઘર વેચવું કે વારસામાં મેળવવું હવે વધુ પારદર્શક
- સોસાયટીઓ નવા સભ્યો પાસેથી કોઈપણ ચાર્જ, દાન ફંડની માંગણી કરી શકશે નહીં
House transfer fees: ગુજરાત સરકારે 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરી દીધી છે. આ નિર્ણય વિવાદોને અટકાવવા લીધો છે.
ગુજરાતમાં 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે. આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા હેઠળ થતું હોય છે. સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોય છે. જોકે ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાથી, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હતી. આ ફરિયાદો વાંરવાર રાજ્ય સરકારને મળી રહી હતી. જેનો હવે સરકારે કાયમી ઉકેલ લાવી દીધો છે.
હવે કેટલી ફી નક્કી કરાઈ?
આજે 3 માર્ચ રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કર્યા છે. જે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરનાં ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી. આથી ઉપર ફી વસૂલવી ગેરકાદેસર ગણાશે. આ જાહેરાત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કરી છે.
વારસદારને અવેજ વિના મિલકત ટ્રાન્સફર કરાઈ હશે તો ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવી હશે તો પણ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. તેમજ જો કોઈ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ રીતે સોસાયટી ફી વસૂલ કરી શકાશે નહીં.
આ પણ વાંચોઃ ભારતીય રેલવે હવે ભૂતાનની સરજમીન ઉપર પહોંચશે; બંને દેશોએ કરાર પર કર્યા હસ્તાક્ષર
આ પણ વાંચોઃ મોદી સાહેબની ફોટોગ્રાફી સારી નથી!? એમણે પાડેલાં ફોટોગ્રાફ્સ ક્યાં છે? |PM modi photography
આ પણ વાંચોઃ કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video