ભારતે શેખ હસીનાના વિઝાને લંબાવ્યા, તો બાંગ્લાદેશે પાસપોર્ટ રદ કર્યો

  • World
  • January 8, 2025
  • 0 Comments

ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. શેખ હસીના છેલ્લા 7 મહિનાથી ભારતમાં રહે છે. તે જ સમયે, જ્યારે બાંગ્લાદેશે હસીનાની પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, ત્યારે ભારતે શેખ હસીનાના વિઝાને લંબાવ્યો છે. આટલું જ નહીં બાંગ્લાદેશ સરકાર તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કરી ચૂકી છે.

બાંગ્લાદેશમાં દેશવ્યાપી વિરોધ દરમિયાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024 ના રોજ ભારત ભાગીને આવી હતી. બાંગ્લાદેશથી તેમના આગમન બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ત્યારથી, બાંગ્લાદેશમાં શેખ હસીની વિરુદ્ધ હત્યા સિવાય અન્ય ઘણા કેસ નોંધાયેલા છે. જોકે, બાંગ્લાદેશ દ્વારા શેખ હસીનાને ભારતને સોંપવાની વિનંતી બાદ ભારતે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

શેખ હસીના સહિત 96ના પાસપોર્ટ રદ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. એવું કહેવાય છે કે લોકોને બળજબરીથી ગાયબ કરવા સિવાય, ગયા વર્ષે જુલાઈમાં થયેલી હત્યામાં તેમની કથિત ભૂમિકા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ 97 લોકો પર જુલાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને બળજબરીથી ગુમ કરવા અને હત્યાઓમાં કથિત રીતે સામેલ હોવાનો આરોપ છે. બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે જાહેરાત કરી છે કે શેખ હસીના સહિત કુલ 97 વ્યક્તિઓના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 6 જાન્યુઆરીએ, બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલે શેખ હસીના વિરુદ્ધ બીજું ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ટ્રિબ્યુનલે બાંગ્લાદેશની પોલીસને શેખ હસીના અને અન્ય 11 લોકોની ધરપકડ કરીને 12 ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે.

 

આ સમાચાર પણ વાંચોઃ પાટીદાર યુવતી પાયલ ગોટી પહોંચી અમરેલી SP કચેરીએ, વકીલે શું કહ્યું?

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 3 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 7 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 14 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો