Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી

  • World
  • October 19, 2025
  • 0 Comments

Pakistan Threat: ભારતમાં હાલ દિવાળીની ઉજવણીનો માહોલ છે, નવા વર્ષની ઠેરઠેર ચાલી રહેલી ઉજવણી વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ભારત ઉપર પરમાણુ બોમ્બ ફેંકવાનું બેજવાબદારી ભર્યું નિવેદન કર્યું હતું.

બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન એકમમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ એક નિવેદનમાં આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં આવી જતું હોવાની વાત કરી પાકિસ્તાનમાં કોઈપણ ખૂણો હવે આતંકીઓ માટે સલામત નહી હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, બ્રહ્મોસ વૈશ્વિક સ્તરે વધતી ભારતની શક્તિનું પ્રતીક છે. લખનઉના સરોજિની નગરમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઈલની પહેલી બેચને લીલી ઝંડી આપી હતી. આ યુનિટમાં વાર્ષિક ૧૦૦ બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદનનું ભારતનું લક્ષ્ય છે.

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાંના અબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી એકેડમી કાકુલમાં આર્મી કેડેટના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધબેજવાબદારી ભર્યું નિવેદન આપતા કહ્યું કે, ભારતની કોઈપણ હરક્તનો અમે જડબાતોડ જવાબ આપીશું. ન્યૂક્લિયરાઇઝ્ડ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. આસિમ મુનીરે કહ્યું કે, હું ભારતના સૈન્ય નેતૃત્વને સલાહ અને ચેતવણી આપું છું કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ સામે યુદ્ધનો કોઈ અર્થ નથી.

અમે ક્યારેય ડરીશું નહીં, અમે નિવેદનો આપવામાં પણ પાછા નહીં પડીએ.

મુનિરે કહ્યું કે પાકિસ્તાની આર્મ્ડ ફોર્સીસ દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને મે ૨૦૨૫માં શક્તિશાળી દુશ્મન વિરુદ્ધ ‘જીત’ મેળવી હોવાનું જણાવ્યું હતું. મુનીરે ભારત પર પાકિસ્તાનને અસ્થિર કરવા માટે આતંકવાદીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો.

આસિમ મુનીરે કહ્યું, મુઠ્ઠીભર આતંકીઓ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકશે નહીં. મુનીરે ચેતવણી આપતા કહ્યુ કે અફઘાનની જમીનનો ઉપયોગ કરનારા બધા જ પ્રોક્સી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓનો પણ સફાયો કરી નાંખીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને સિઝફાયર અમલમાં હોવાછતાં અફઘાનિસ્તાન ઉપર ફરી એક વખત એર સ્ટ્રાઈક કરી હતી જેમાં ત્રણ ક્રિકેટર સહિત20 લોકોના મોત થયા હતા આમ,પાક હવે તેના ભાષણમાં માત્ર યુદ્ધની વાતો કરી ઉશ્કેરાટ ફેલાવી રહ્યુ છે.

 

આ પણ વાંચો:

Pakistan-Afghanistan: પાકિસ્તાને કહ્યું,”અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત!તાત્કાલિક દેશ છોડી ભારત જતા રહેવા કર્યું ફરમાન!!”

Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો

Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ